________________
પ્રેમ બતાવવામાં આવેલા, તે તેઓની આવી વિશાળ દષ્ટિને કારણે. એ પ્રસંગે મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણ સમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓનો આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પોતાની તથા પોતાના પક્ષની ભૂલોને શોધવા-સમજવા-સ્વીકારવાની તત્પરતા તેમ જ અપાર સહનશીલતા જોતાં સહેજે આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મરણ થઈ આવે છે.
તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરનાર વ્યકિતની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણતા હતા. અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો રહેતો કે સામી વ્યક્તિ એનો પ્રતિકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા હતા, એમાં એમના આ ગુણનો હિસ્સો નોંધપાત્ર હતો.
આપણા શ્રમણ સંઘના જુદા જુદા સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા. અને કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને ક્યારેય ક્ષોભ કે સંકોચ થતો નહીં, તેમ એમની પાસે આવવામાં પણ કોઈ સમુદાય, ગચ્છ કે ફિરકાના સભ્યોને-સાધુઓને સંકોચ ન થતો. એમના અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં. અને તેથી જ તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંયમજીવનનો સાચો અને અપૂર્વ આનંદ અનુભવી શકતા.
મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવોથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ હતા, અને અવસર આવ્યું તેઓ એને નિર્ભયપણે વ્યક્ત પણ કરતા.
તેઓને મન કોઈ કામ નાનું કે નજીવું ન હતું, કામ એ કામ જ છે– ભલે પછી દુનિયાની સ્કૂલ નજરે એ નાનું હોય – અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઊતાવળને અવકાશ ન જ હોય : આ દષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી. અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા હતા. પોતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઓને જે વિરલ સફળતા મળી એમાં આ દષ્ટિનો પણ ભાગ સમજવો
ઘટે.
શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદ્દન અલિમ અને અળગા હતા. આચાર્ય પદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિનો તેઓએ વિનમ્રતા તેમજ દઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમપ્રભાકર'નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ. સં. ૨૦૧૭માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની, મુંબઈમાં, અખિલ-ભારતીય ધોરણે ઉજવણી થઈ તે વખતે પણ મુંબઈના શ્રીસંઘે તથા અન્ય સ્થાનોના મહાનુભાવોએ મહારાજશ્રીને આચાર્ય પદવી માટે ખૂબ આગ્રહ કરેલો, પણ મહારાજશ્રીએ એ વખતે પણ એનો વિવેકપૂર્વક
શ્રી પુય-ર્ચારિત્રમ્ |
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org