SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના-વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે– ‘“જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે, અને જેટલી એની વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યકિતત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણસંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ ક્યાં પાતાળમાં જઈ રહ્યું છે?” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩) જૈન શ્રમણસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે ‘‘પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડયો નથી, જ્યારે અત્યારના આપણા શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમના પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ....? એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈનધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.’’ (જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટકોર કરતાં મહારાજશ્રી કહે છે કે “જેમ જનતા દરેક બાબતમાં ‘સાપ ગયા અને લીસોટા રહ્યા' એ નિયમાનુસાર દરેક રીતરિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તકભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરવો, હવાઈ ગયેલ પુસ્તકોને તડકો દેખાડવો, ચોંટી ગયેલ પુસ્તકોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫) મહારાજશ્રીના આ બધા ઉદ્ગારો જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તન તોડીન, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. 37 Jain Education International For Private & Personal Use Only શ્રી પુણ્યચરિત્રમ્ www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy