SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સાથે આત્મીય ભાવે કામ કરનારા ઘણા મિત્રો છે દલસુખભાઈ, ૫૦ અમૃતલાલ વગેરે ઘણા ઘણા એવા વિદ્વાનો છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને મારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખો મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો.” “સાત વર્ષ વહી ગયાં. સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વોલ્યુમ બહાર પડ્યું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વોલ્યુમ બહાર પડયું, તો બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એકએક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી. કામ ઘણું મોટું છે. એટલે અમે મર્યાદા નક્કી કરી આગમો તૈયાર કરીએ છીએ.” ડૉ. સુબ્રીંગ, ડૉ. લોયમન, ડૉ. આલ્સડોર્ફ એ બધાએ આગમો વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડૉ. આલ્સડોર્ફના બે આર્ટિકલ આવ્યા છે. એક તો ઈચ્છીપરિન્ના વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન તેણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયો છે. ઈચ્છીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડો. આલ્સડોર્ફ તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કોઈનેયે એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોનો ખ્યાલ આવે. અમે ત્યાં સુધી પહોંચ્યા નથી.” બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીકવાર શુદ્ધ પાઠો મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથના અવતરણો, ઉદ્ધરણો ને પ્રાચીન પ્રમાણોનો અને આગમના પાઠોનો ટીકાકારો, ચૂર્ણિકારો, ટિપ્પણકારો ને વૃત્તિકાર-બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમો છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતો મળી શકી તે પ્રત સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠોનો નિર્ણય કરીએ છીએ.” ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે. એટલે શુદ્ધ પાઠો નકકી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેક્કન કોલેજ, સુરત, વડોદરાના ભંડારો જઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નકકી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક કામ કર્યું છે. દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે.” “આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે, તપાસીને અલના હોય તેમ જ સંપાદન થી પુણ્યચરિત્રમ્ | 35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy