________________
સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતોને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકોપીની માગણી કરે તો તે પણ તે જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યું હોય એવો ભાવ ન તો જાતે અનુભવતા કે ન તો બીજાને એવો ભાવ દેખાવા દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી.
એકવાર મારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદ્વાદરત્નાકરના બધા ભાગની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતાં હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઊઘાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઈચ્છીએ તો આવા તો સંખ્યાબંધ પ્રસંગો મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આનો સાર એ છે કે જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્રહ થયા હોય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર આવનારને ભારોભાર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપતા. અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને કોઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા.
વિનમ્ર વિદ્વત્તા - મહારાજશ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પોતાની પંડિતાઈ કે વાકચાતુરીથી બીજાને આંજી નાંખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ. સં. ૧૯૨૪માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયોગદ્વાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ) એમણે ઉચ્ચારેલ આ ઉગારો તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દષ્ટિ, પોતાની ભૂલોને જોવા-સ્વીકારવાની સહજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવાં છે :
“અહીંયા વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ મોટો પ્રશ્ન છે. હું તો ઈચ્છે કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત ત ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.”
“દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અમે હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલો નથી કરતો, બધા જાણતા હોય કે હું આ કામ એકલો કરું છું, તેમ છતાં પણ એમાં
શ્રી પુણ્યર્ચા૨મમ
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org