________________
સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્દઘાટન, વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટાગમાં એક વિઘાની પરબ શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ.
આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો જૈનપુરી અમદાવાદ. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો હતો. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીનો કળાનો સંગ્રહ પણ આ સંસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિનો ખ્યાલ તો એનાં દર્શન કરવાથી જ આવી શકે. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત દલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલનનીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફતી પ્રગટ થયેલ ચાલીસ જેટલાં પ્રાચીન ગ્રંથો તથા જ્ઞાનભંડારોની સૂચીઓને લીધે દેશવિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકીત થઈ છે.
મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એનો નિર્દેશ પણ અહીં જ કરવો પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથો હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ થવાનો હતો. એક તો બધાં આગમસૂત્રોની સુસંશોધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જાય, અને બીજો લાભ તે આવું આગમમંદિર ઊભું થાય છે. પણ હવે તો આવા ઉમદા મનોરથો સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુઃખ કોને કહેવું!
કળાની પરખ - પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથ પ્રતોને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અભૂત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દષ્ટિએ, શું મૂલ્યાંકન કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી!
વિદ્વાનોને સહકાર- આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, એની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કોપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તો તેઓ તરત જ 33
શ્રી પુયચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org