________________
શાસ્ત્રાભ્યાસ - જ્ઞાનોદ્ધારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું સત્યસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પરઉપકારક બની શકે. મહારાજશ્રીના શાસ્ત્રાભ્યાસની આ જ વિશેષતા હતી. અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકતા હતા. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિધા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાનો કોઈ ભેદ રાખતા નહીં. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ આદરથી અવલોકન-અવગાહન કરતા. આથી જેમ તેઓ પોતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પાગ પરિચિત રહી શકતા. પરિણામે એમનો અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશેષ સચોટ અને પ્રતીતિકારક બનતું. આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક ૫૨૪)માં સાચું જ કહ્યું છે કે
આત્મીય: પરકીયો વા કઃ સિદ્ધાતો વિપશ્ચિતામ?
દષ્ટ ઝાબાધિતો યસ્ત યુકતસ્તસ્ય પરિગ્રહઃ | એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એવો કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઈષ્ટથી અબાધિત હોય તેનો સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દૃષ્ટિથી પરિપૂર્ણ હતું. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પણ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાસમુચ્ચયમાં કપિલ મહર્ષિનો ‘દિવ્ય મહાનુનિ' (શ્લોક ૨૩૭) અને ભગવાન બુદ્ધનો મહામુનિ' (શ્લોક ૪૬૬) જેવાં બહુમાનવાચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષનો કે મહાન વ્યકિતનો અથવા વિદ્વાનનો ઉલ્લેખ કરવાનો વખત આવતો ત્યારે તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા.
કર્મસાહિત્ય અંગેના પોતાના લેખમાં, દિગંબર સાહિત્યનો નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય... વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે.
(જ્ઞાનાંજલિ, પૃ. ૧૪0). સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કે “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જૈનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યો છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભુ વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર-સાહિત્ય કોઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.” (જ્ઞાનાંજલિ, ૧૫૯)
(29
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org