SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ૦-એ પણ મોટે ભાગે કામ કરતાં કરતાં જ થયો, એમ કહીં શકાય. પાટણના બીજા ચોમાસામાં (એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સેંકે સેંકે બદલાતા મરોડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના ‘‘ભારતીય લિપિમાળા’’નામે પુસ્તકનો પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખનસંવત ન નોંધ્યા હોય એવી કૃતિ પણ ક્યા સૈકામાં લખાયેલી હોવી જોઈએ એનો મોટે ભાગે સાચો અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. ન સ૦- આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ? ૪૦- મોટે ભાગે કણાહડએણં-કર્ણાહતેન- કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કોઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથો જોવાનું બને છે. અને તેથી આપણે કોઈ પણ બાબતનો ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ તથા તટસ્થ વૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતનો સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દષ્ટિએ વિચાર કરતા શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ઘણી ઉપયોગી નીવડે છે. સ૦- પ્રાચીન ગ્રંથોના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી? જ૦-અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચોક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનો અભ્યાસ અને સંશોધનનો અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજ્ય ગુરુજી જ્યારે પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થો બેસાડવાનો, પાઠાંતરો શોધવાનો, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ ક્યો હોઈ શકે એનો, લિપિ ઉકેલવાનો-એમ બધો અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડતો, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનોમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિકઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અમે સાથે મળીને કર્યું, કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ કર્યું, એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોંધે પૂજ્ય ગુરુજી અને પાઠનો નિર્ણય કરું હું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે ઃ સંવત ૧૯૯૫ના ચોમાસમાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કોઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઈલાજ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાક્યા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઈલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો શ્રી પુણ્યચરિત્રમ્ 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy