________________
ટીકાનું અને પોતાની મેળે ઓઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું, સાથે પાલિતાણામાં ગુરુતત્ત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે જ્યારે પાટણમાં આગમોની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તો લાગેલું કે આવા કાર્યનો વિરોધ કરવો એ બરાબર નથી; આ કામ તો ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ. સં. ૧૯૭૬), મહારાજશ્રીએ એનો લાભ લઈ ઓઘનિર્યુકિતની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણાસૂત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી.
ભાવનગરમાં બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃત્તિ, પ્રકણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું : બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુરુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલિતાણા ગયા ત્યારે શ્રી કુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શતા પૂછવા માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલો એક ચોપડો મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા.
વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેઓની સ્વયંસ્ફરાણાપ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો કેટલોક ખ્યાલ આવી શકે છે.
સવાલ - આપે પ્રાકૃતનો અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો?
જવાબ - એમ લાગે છે કે પ્રાકૃતનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજ્ય ગુરુજી પાસે પઉમચરિયું વાંચ્યું; આ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું, સાથે સાથે પઉમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પત્રના આધારે સુધાર્યું.
સ0-આગમોના અભ્યાસની વિશેષ રુચિ ક્યારે જાગી ?
જડ-મુનિશ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હરિભદ્રી વૃત્તિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ, અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી.
સ0- અપભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું? જવ- એ તો કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં જ થયું. સ0- પ્રાચીન લિપિઓ વાંચવાનો અભ્યાસ કેવી રીતે થયો?
શ્રી પુણ્યચરેત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org