SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ માને પાગ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું? છેવટે બન્નેએ દીક્ષા લેવાનું નકકી , કર્યું. વિ. સં. ૧૯૬૫ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે, વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી; નામ પુણ્યવિજ્યજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમ : પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વી શ્રી રત્નશ્રીજી. રત્નશ્રીજી સંયમનું પાલન કરવામાં સદા જાગ્રતા રહેતાં. પાછલી અવસ્થામાં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં હતાં, છતાં ધર્મની જાગૃતિ એવી જ હતી એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડૉકટરે કહ્યું કે આવી બીમારીનો સરખી રીતે ઈલાજ કરવા માટે સાધ્વીજી ઈસ્પિતાલમાં દાખલ કરવાં જોઈએ. આ સાંભળીને રત્નશ્રીજીનું અંતર વલોપાત કરી રહ્યું; એમને થયું કયા ભવન માટે ઈસ્પિતાલમાં જઈને છ કાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી? એ તો કોઈ પાર રીતે ઈસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી. બીજે દિવસે દાકતર આવ્યા; તબિયત કંઈક ઠીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઈસ્પિતાલમાં નહીં લઈ જઈએ. દાકતરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષની કોઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણનો કોઈ ભય હતાં, દેહદુઃખથી છૂટકો મેળવવા ન જવાય મરણની ઝંખના હતી, અને મરણનો ભય તો એમને લેશ પણ હતો જ નહ.. અમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં તેઓ સ્વર્ગવાસી થયાં! દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા. સ્ફટિક સમું નિર્મળ એમનું જીવન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એમાગે એવી કેળવી જાગી હતી કે એમને મન આ મારો અને આ પરાયો એવો કોઈ ભેદ ન હતો જૈન-જૈનેતર સૌને તેઓ વાત્સલ્યપૂર્વક આવકારતાં અને ધર્મસાધનામાં કે જ્ઞાનોપાર્જનમાં જોઈતી સહાય આપતા. પ્રમાદતો એમને સ્પર્શતો જ નહીં. અને કોઈનો તિરસ્કાર કરવો કોઈના ઉપર રોષ કરવો કે મન-વચન-કાયાના વલાણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવો, એ તો એમના સ્વભાવમાં જ ન હતું. એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. દાદાગુરુ અને ગુરુ બને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સંયમનો સાચો માર્ગ લાધે, ન સમયની નિર્મળ આરાધના થઈ શકે, નતો સંઘનો અભ્યદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે, અને તીર્થકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની શકે : એ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્ય પણ જ્ઞાનોદ્ધારક શ્રી પુણ્યચરિત્રમ્ 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy