SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ * પૂજ્ય પુણ્યવિજયજીની જીવનયાત્રાના મુખ્ય અંશો * * જન્મ : તા. ૨૭-૧૦-૧૮૯૫, લાભપાંચમ * સાંસારિક નામ: મણિલાલ દોશી * પિતાનું નામ : ડાહ્યાભાઈ દોશી * માતાનું નામ : માણેક બહેન (દીક્ષા પછીનું નામ શ્રીરત્નશ્રીજી મહારાજ) વિદ્યાભ્યાસ : અંગ્રેજી માધ્યમમાં છ ધોરણ સુધી ઝક દીક્ષા પ્રાપ્તિ : વિ. સં. ૧૯૬૫ મહાવદ પાંચમ, ઈ.સ. ૧૯૦૯ ફેબ્રુઆરી દીક્ષા સ્થાન : છાણી (વડોદરા હાઈવે પરનું નાનું ગામ) ગુજરાત * દીક્ષા ગુરુ : મુનિવર્ય ચતુરવિજયજી મહારાજ * દાદાગુરુ : શ્રી કાંતિવિજયજી મહારાજ - દીક્ષા પર્યાય : ૬૨ વર્ષ એક કાળધર્મ : તા. ૧૪-૦૬-૧૯૭૧, મુંબઈ * જ્ઞાનયોગીનું યોગદાન (૧) પ્રાચીન સાહિત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય કલાક સિક્કા જેવી પ્રાચીન વસ્તુઓનું સંશોધન, સંપાદન. જુદી જુદી કાળાંતરે બદલાતી લિપિઓની ઢબ, અક્ષરોનાં વળાંક પરથી જે તે કૃતિનો સર્જનકાળ નિશ્ચિત કરવો. (૨) પ્રાકૃત - સંસ્કૃત બ્રાહ્મી લિપિઓમાં આલેખિત તાડપત્રીઓના ટુકડાઓનું વર્ગીકરણ કરી વ્યવસ્થિત પાનાં તૈયાર કરવા તથા પ્રાચીન ગ્રંથાગારોના ગ્રંથોની સમયાનુસાર સર્જન મુજબ ગોઠવાગી કરવી. તે ગ્રંથોની ફોટો સ્ટેટ કોપીઓ કઢાવવી ક્ષતિ દોષ નિવારીને તેમનું પ્રકાશન કરાવવું. અત્યંત જર્જરીત પ્રાચીન પ્રતાની માઈક્રો ફિલ્મ લેવડાવી તેનું જતન કરવું. (૩) દેશી - વિદેશી જૈન સાહિત્યના જ્ઞાનપિપાસુ વિદ્વાન સંશોધકો તથા પી.એચ.ડી.ના મહાનિબંધ તૈયાર કરતા વિદ્યાર્થીઓને તેમનાં સંશોધનકાર્યમાં સહાય કરવી. પંડિતો વિદ્વાનો સાથે જ્ઞાનગોષ્ઠિ કરવી. શ્રી પુણ્યચરિત્રમ્ 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy