SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજી રૂપી બોલવાનું કહેતા, ત્યારે બાલમુનિ પુણ્યવિજયજી મહારાજ કહેતા કે, મને એવું ગોખણપટ્ટી જ્ઞાન ભાણવું ગમતું નથી; તમારે જે રૂપોની સાધનિકા કરાવવી હોય તે કરાવો, હું સાધનિકા બરાબર કરી આપીશ; હું કદી પણ ગોખણપટ્ટી કરીશ નહિ. પંડિતજી દાદાગુરુ આગળ ફરિયાદ કરતા, તો દાદાગુરુ (પૂજ્ય કાંતિવિજયજી મહારાજ) કહેતા કે નાનો બાળક છે એની ઈચ્છા પ્રમાણે ભણાવો. તેઓ હંમેશાં એવી શિખામણ આપતા કે ભલે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સચોટ કરજો. અને સાચા જ્ઞાની થવું હોય તો, જીવનમાં રાગ-દ્વેષની પરિણતિ ઓછી કરી, કષાયોને તિલાંજલિ આપો. વાદવિવાદની ચર્ચામાં ક્યારે પણ ઊતરવું નહિ. જીવનમાં બાલકથી માંડીને વૃદ્ધ સુધી, મૂર્ખથી માંડીને વિદ્વાન વર્ગ સુધી દરેક વ્યક્તિ ઉપર આદર, સદ્ભાવ, પ્રેમ રાખજો, કોઈના પ્રતિ તિરસ્કારભરી દષ્ટિથી જોશો નહિ, અણગમો કરશો નહિ, જીવનમાં માનવતાને સ્થાન આપજો. - પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને વડોદરામાં “આગમપ્રભાકર'ની પદવી આપી હતી. તે પદવીનો સ્વીકાર તેમણે અનિચ્છાએ કર્યો હતો. તેઓ પદવી માટે હંમેશાં ઈન્કાર કરતા. આપણે કહીએ છીએ કે ‘સાઠે બુદ્ધિ નાઠી' પરંતુ પૂજ્ય ગુરુદેવ કહેતા, આ કહેવત જે માનવી પ્રવૃત્તિહીન તથા આળસુ-નિરુદ્યમી હોય તેને લાગુ પડે છે. તેઓનું આ કથન સત્ય હતું. પોતે ત્રણ વર્ષના હતા, તે સમયમાં બનેલ જે જે પ્રસંગો હતા, તે પ્રસંગો પૂજ્ય જ્ઞાનયોગી ગુરુજી અત્યારે પાણ સવિસ્તાર કહી સંભળાવતા હતા, તે પ્રસંગો સ્મૃતિપથમાંથી જરા પણ દૂર થયા ન હતા. તેમનામાં જ્ઞાનની સાથે નિરભિમાનતા, સુજનતા, વત્સલતા, નિર્ભયતા આદિ અનેક અપૂર્વ ગુણો ભર્યા હતા. તેમના સંપર્કમાં એક વાર જનાર વ્યક્તિ બીજી વાર જવાની ઈચ્છા રાખતી. તેમના ગુણોનું આકર્ષણ કોઈ અનોખું અને અલૌકિક હતું. પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવને પોતાનાં કાર્યો કરવા દિવસે બહુ ઓછો વખત મળતો. દિવસે અનેક વિદ્વાનો, દેશ-પરદેશનાં સ્કોલરો, જ્ઞાનભંડારના સંચાલકો તથા જ્ઞાનપિપાસુજિજ્ઞાસુઓ આવતા, તેમની સાથે વાર્તાલાપ કરતા, ધાર્મિક ચર્ચા કરતા, પરંતુ પૂજ્યશ્રી વાદવિવાદમાં કે મારા-તમારામાં, વાડા-પાડામાં કદી પડતા નહિ. સત્ય વસ્તુ સમજાવવામાં તેઓ હંમેશા નિર્ભય રહેતા હતા. તેઓ કદી કોઈની નિંદા કરતા નહિ, તેમ બીજાની નિંદા સાંભળતાં પણ નહિ, તેઓ હંમેશાં કહેતા હતા કે આ મુખ સુવર્ણ-કચોલું છે. 'સુવાર્ગ એટલે સોનું'. સોનાના કચોલામાં ઉત્તમ વસ્તુ ભરાય, પરંતુ કચરો ન ભરાય, તેમ મુખરૂપ સૂવર્ણ કચોલામાં સુવર્ણ એટલે શોભાભરી વાણી ભરાય, પરંતુ જગતના ગંદવાડરૂપી નિંદા ન ભરાય. આ મહાન પુરુષના ગુણો જાણીએ, તેમના જીવનના એક એક સિદ્ધાંતો સાંભળીએ, એમના નિટકનાં પરિચિત વ્યક્તિઓ તથા વિદ્વાનો પાસેથી એમના વિશે જાણીએ, તો આપણને કલ્પના આવે કે તેઓ કેવા મહાન હતા અને તેમની ભાવનાઓ કેટલી બધી ઉચ્ચ તથા ઉદાત્ત હતી. સ્વર્ગસ્થ ગુરુદેવના અનેક જીવનપ્રસંગો સ્મૃતિપથ ઉપર, પવનવેગી ઘોડાની જેમ, એક પછી એક પસાર થઈ જાય છે. તેમાંના ક્યા જીવનપ્રસંગો યાદ કરીએ અને કોને પકડી રાખીએ, તે કાંઈ સમજાતું નથી. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી આગમપ્રભાકરજી મહારાજ કહેતા કે નવરા માનવીને કોઈ કાંઈ કાર્ય બતાવે, તો કહે કે મને ટાઈમ નથી, સમયનો અભાવ છે; જ્યારે પ્રગતિશીલ માનવીને ક્યારે પણ કોઈનું કાર્ય કરવા માટે પ્રેરણા કરવામાં આવે તો તે એ અત્યંત આફ્લાદપૂર્વક કરી આપે છે. શ્રી પુચચરિત્રમ્ 184 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy