________________
ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજ સાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઇને એમણે મને સંભારાણા તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિગામ, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે.
મુંબઈ આવીને પૂજ્ય મહારાજ સાહેબ સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જ અનુભવ મને થયો. પૂજ્ય મહારાજ સાહેબની આ એક જાણીતી ખાસિયત છે કે તેઓ સામાન્ય રીતે પત્રવ્યવહાર બહુ રાખતા નથી. ટપાલટિકિટનો બને તેટલા ઓછામાં ઓછો પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજ સાહેબ અવશ્ય પત્રનો જવાબ આપે છે એવો પણ અનુભવ છે. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળ્યો છે.
બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષા પર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહારાજ સાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે ભરબપોરે જ્યારે એમને મેં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમના ચરણોમાં નમી પડયું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમજ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘ કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના કામને માટે લાઈટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજ સાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ છે કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હોય તો પણ બીજે દિવસે સવારે તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસો સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવે છે.
શું જૈન કે શું બૌદ્ધ, શું હિંદુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભિપ્સા, ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે. પરંતુ સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે. પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર પણ વિજય મેળવ્યો છે. એમણે સહજ મળતી આચાર્યની પદવીની પણ જો ખેવના કરી નથી, તો લોકેષણાની તો વાત જ શી કરવી?
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે પગને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓ જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવીએ છીએ અને એની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલ અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા,
શ્રી પુણ્યચરિત્રમ્
164
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org