SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ, દર્શન, ઈતિહાસ, સાહિત્ય કળા, જ્યોતિષ વગેરે વિવિધ વિષયો પર વિપુલ પ્રમાણમાં ગ્રંથો રચ્યા છે. જૈન ચરિત્રકથાઓ અને બોધકથાઓ, તેમની અનોખી શૈલીના લીધે, વાચકોને હૃદયંગમ બની છે. ભારતના કથાસાહિત્યના વિકાસમાં જૈન કથાઓ અને રાસાઓનો નોંધપાત્ર ફાળો છે. જૈનોએ આ સાહિત્ય પોતાના ભંડારોમાં ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખ્યું છે, પરંતુ સમયના વહેણ સાથે તે અવ્યવસ્થિત બની ગયું છે. આ સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો જૈન સમાજને, અભ્યાસીઓને અને વિદ્વાનોને જૈનધર્મનો વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે. આ હેતુથી આ સાહિત્યનું સંશોધન અને પ્રકાશન અત્યંત જરૂરી બન્યું છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ બાબતમાં ઘણું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમોનું સંશોધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમની કામગીરી અદ્વિતીય છે. પાટણ, જેસલમેર, વડોદરા જેવા સ્થળોએ સંગ્રહાયેલા ગ્રંથોનું જે ખંતથી, જે ઊંડી સૂઝથી અને જે અભ્યાસપૂર્ણ વિદ્રષ્ટિથી તેમણે સંશોધન કર્યું છે અને તેના સંરક્ષણ માટે તથા મહત્વના ગ્રંથોની માઈક્રોફિલ્મ ઉતારી વિદ્વાનોને સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી છે તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કાર્ય પંડિત સુખલાલજીએ કહ્યું છે તેમ “ન કેવળ જૈન પરંપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય પરંપરા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ માનવ સંસ્કૃતિની દષ્ટિએ પણ એ ઉપયોગી છે.” પરમ પૂજ્ય ન્યાયાભાનિધિ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ એક મહાન ક્રાંતિકારી યુગપુરુષ હતા. તેમના સમયમાં જૈન સમાજમાં અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, કુરૂઢિયો વગેરે ઘર કરી ગયાં હતાં. તે બધાંને દૂર કરવા તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો. પંજાબ, મારવાડ, ગુજરાત વગેરે પ્રદેશોમાં સતત વિહાર કરી જૈન સમાજનાં નેત્રો જ્ઞાનરૂપી અંજનશલાકા વડે ખોલ્યાં. તેમના ભવ્ય ઉપદેશની અસર તળે સમાજ જ્ઞાનપૂર્વકની ક્રિયા અને ક્રિયા સહિતના જ્ઞાન વડે રંગાવા માંડ્યો હતો, અને જૈન ધર્મ, દર્શન, સાહિત્ય તથા શિક્ષણ માટે કંઈક નવું યોજન કરવાની તેનામાં તમન્ના જાગી હતી. તેમના શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવતા હતા. તેમની સંશોધનદષ્ટિ પણ અનોખી હતી. તેમના પ્રબળ પુરુષાર્થથી પાટણ અને લીંબડીના વિશાળ ગ્રંથભંડારોનો ઉદ્ધાર થયો હતો અને વડોદરા તથા છાણીમાં પણ એક એક વિશાળ ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથોના નિષ્ણાત સંશોધક અને સંપાદક હતા. તેમણે પોતાના ગુરુ પ્ર. કાંતિવિજયજી મ.ને ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ચૌદ વર્ષની નાની ઉંમરે દીક્ષા લઈ દાદાગુરુ પ્રવર્તકજી મ. તથા ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસેથી પ્રાચીન ગ્રંથોના સંશોધન, સંરક્ષણ અને સંપાદનની ઉત્તમ તાલીમ લીધી, અને તે બંનેના કાળધર્મ પામ્યા પછી તેઓએ શરૂ કરેલું કાર્ય તેઓ તરફની ભક્તિના પ્રતીકરૂપે એકલે હાથે ઉપાડી લીધું, એટલું જ નહિ પણ તે કાર્યને વિદ્વજગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશ કલગી છે. ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પૂ. આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પચીસમાં દિવસે, એટલે કે વિ. સં. ૧૯૫રના બીજા જેઠ સુદિ બીજ તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ, તેઓશ્રીના અનુયાયીઓ અને પ્રશંસકોએ ભકિતભાવ નિમિત્તે તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી. શરૂઆતથી આ સભા 157 શ્રી પુણ્યચરિત્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy