SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી. આ દરેક કાર્ય પોતે જાતે કરતા, તેમની મદદમાં કેટલાક ભાઈઓ કે લહિયાઓને રાખતા છતાં, પૂર્ણ ચોકસાઈથી તે યાદી કરાવતા. સામાન્ય માણસથી તો આવું ભગીરથ કાર્ય બનવું અશક્ય છે, જ્યારે વર્ષો સુધી એકધારી આ સારસ્વત આરાધના, આ મહાપુરુષે પોતાની સ્વસ્થ કે અસ્વસ્થ દશા હોય છતાં, સતત જારી રાખી. દિવસ-રાત આ કાર્યને તેમના જીવનના મુખ્ય ધ્યેય તરીકે તેમણે સ્વીકાર્યું અને પ્રભુની પરમ કૃપાથી તે અવિચ્છિન્ન રીતે પૂર્ણ કર્યું. પાટણમાં ભંડારોની સંખ્યા નાનીસૂની નથી. લગભગ ચૌદ-પંદર ભંડારો, તે દરેકમાં સેંકડો બબ્બે હજારો ગ્રંથો, વળી કાગળ ઉપર લખાયેલા ગ્રંથોની સાથે તાડપત્રમાં લખાયેલા ગ્રંથો, તે દરેકની ભાષા પણ જુદી જુદી, કોઈ સંસ્કૃતમાં લખાયેલા, કોઈ પ્રાકૃતમાં લખાયેલા, કોઈ અપભ્રંશ ભાષામાં, તો કોઈ પ્રાચીન ગુજરાતિમાં લખાયેલા, આ બધા ગ્રંથો હતા. કોઈ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં, તો તેની વ્યાખ્યા સંસ્કૃતમાં, કોઈ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં. આમ આ ગ્રંથોદ્ધારના ભગીરથ કાર્યમાં વિવિધ દષ્ટિએ કામ કરવાનું હતું. કેટલીક વખત ગ્રંથોનાં પાનાં અવ્યવસ્થિત મળતાં, તેને મેળવવાનું કાર્ય વિકટ હતું. કદાચ કેટલાંક પાનાં મળતાં પણ નહિ, છતાં આ મહાવિદ્વાન પુરુષ તેથી મૂંઝાતા નહિ. કોઈ ગ્રંથનાં પાનાં બીજા ગ્રંથમાં મૂકતા અને પૂર્વાપરનું સંમેલન કરીને જ તે કાર્ય પૂરું કરતા. કોઈ દિવસે તેમને આ કાર્ય માટે કંટાળો કે અણગમો આવ્યાનું જાણવામાં નથી. તેમની અપૂર્વ મેધાશકિતના બળે, કયો શ્લોક ક્યા ગ્રંથનો છે, તે તરત જ તેઓ સમજી જતા. કોઈ કોઈ ગ્રંથના અનન્ય પ્રસંગો વાંચી વિચારતા અને તેમની પાસે કામ કરતા કે અમારા જેવા આગંતુકોને કહેતા-સમજાવતા. તેમણે ફક્ત પાટાગના ભંડારો જ તપાસી વ્યવસ્થિત બનાવ્યા નથી, પણ જેસલમેર જેવાં દૂર દૂરનાં ગામોમાં જઈ, ત્યાંના ભંડારો તપાસી, વ્યવસ્થિત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે ખંભાત અને અમદાવાદના ભંડારો તપાસી, તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય પાગ આ મહાપુરુષે કરી, સારસ્વત આરાધનાનો મહાયજ્ઞ તેમણે જીવન પર્યંત ચાલુ રાખ્યો છે. તેમના જીવનનું મહામૂલું પ્રશસ્ય કાર્ય, સેંકડો વિદ્રત્તાપ્રચુર મહાગ્રંથોનું સંપાદન કાર્ય છે. આખાય જીવન દરમ્યાન ગ્રંથોનું સંશોધન, અને વ્યવસ્થા કર્યા પછી, તેમના ધ્યાનમાં પ્રાચીન અપૂર્વ ગ્રંથોનું પ્રકાશન કરવા માટે વિચારણા ઉદ્ભવી. સેંકડો ગ્રંથોના અવગાહનથી તેમનું જ્ઞાન અભૂતપૂર્વ વિસ્તા પામ્યું, અને આજે તો તેઓ એક પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાનકોષ જેવા જ છે. ગમે તે વિષય સંબંધી આપણે પ્રશ્ન કરીએ તો તેનું રહસ્ય સમજાવવા તે પૂરતો પ્રયત્ન કરે જ. આવી અપૂર્વ મેધાને કારણે તેમનું જ્ઞાન ખૂબ વિસ્તાર પામ્યું છે. તેમણે સેંકડો ગ્રંથો સંપાદન કરી બહાર મૂકયા છે, જે તેમની અનુભૂતિ વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. સંપાદિત કરેલ ગ્રંથો પાછળ પણ તેમની ચીવટ અને ખંત કેટલી સજીવ છે તે દરેક ગ્રંથોના પરિશીલનથી જાણી શકાય છે. દરેકમાં પાઠાંતરો મેળવવાં, જ્યાં લહિયાની ભૂલ હોય ત્યાં સુધારો સૂચવવો, તે દરેકની પ્રસ્તાવનામાં ગ્રંથના ગુણદોષો પ્રકટ કરવા, તેના કર્તા તથા . લેખકની પિછાન આપવી, તેના ઉપર થયેલ ટીકા-ટિપ્પણીની નોંધો મેળવવી વગેરે સાર્વત્રિક બાબતો વિચારીને, પછી જ જે તે ગ્રંથ બહાર મૂકવા તેઓ તૈયારી કરતા. આવો મહાન પરિશ્રમ વેઠીને પણ, બીજા લેખકોની માફક, જેને સારસ્વત ઉપાસના દ્વારા કોઈ એષણા કે સ્વાર્થ નથી, તેવા દેવદૂત જેવા મહાપુરુષને નિષ્કામ સેવાભાવી મહાસંત તરીકે જ ઓળખાવી શકાય. પાટણમાં જ્યારે તેઓ વિદ્યમાન હતા, ત્યારે તેમની પાસે વિવિધ વિષયોની વિચારણા માટે કે ગ્રંથો શ્રી પુણ્યચરિત્રમ્ 154) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy