SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આગમપ્રભાકર મહારાજશ્રીની આટલી પારગામી વિદ્વત્તા અને ઋજુતા છતાં, એમને આચાર્ય પદવી તો શું પણ બીજી કોઈ નાનકડી પદવી આપવાનું પણ હજુ સુધી શ્રી જૈન સંઘને સૂઝ્યું નથી, એ પણ એક અજાયબી છે! જોકે એનું આ સમતાવાન જ્ઞાનયોગીને દુખ પણ નથી. રાજા કરતાં રાજાનો બનાવનારો હંમેશાં મોટો છે. એમ એમને સામાન્ય પદવી નથી મળી. પરંતુ બીજાને ‘પદવીઓ’ આપી શકે તેવું ‘આગમપ્રભાકર’નું સ્વયંભૂ બિરુદ એમને પ્રાપ્ત થયું છે. ‘પ્રભાકર પોતાના તેજથી પ્રકાશિત છે, સ્વયંપ્રકાશ છે; એમને પરપ્રકાશની જરૂર નથી. એ તો પ્રકાશ આપનાર છે.’ ક્વિંચત પ્રાપ્ત થતા આ મંગલ અવસરે હું પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન કરું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી-કેટલાંક સંસ્મરણો ડો. રમણલાલ નાગરજી મહેતા, વડોદરા ઘડિયાળી પોળના ઉપાશ્રયમાં સાંજના ઝાંખા પ્રકાશમાં એક પાટ પર બેઠેલા ધીર ગંભીર મુખમુદ્રાવાળા મહારાજની સામે કેટલાક ખ્યાતનામ વિદ્વાનો બેઠા હતા. અહીં જૈન દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચિત્રકલાનો ઈતિહાસ વગેરે વિષયો વાતચીતમાં ઝડપભેર બદલાતા જતા હતા. વિષય બદલાય પણ મુનિશ્રીની ગંભીર મુદ્રામાં ફેર પડતો નહીં તેમ જ તેમની દરેક વિષયની સૂઝ અને સરળ સમજાવવાની પદ્ધતિ પણ એકસરખી રહેતી; એ દૃશ્ય આજે નજર સમક્ષ આવતાં મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સમક્ષ મસ્તક ઝૂકે છે. મારો મુનિશ્રી સાથેનો આ પ્રથમ મેળાપ આજથી બે દાયકા પહેલાં થયેલો, તે વખતે કંઈ પ્રસંગોપાત્ત, ડો. ઉમાકાન્ત શાહની તપાસમાં હું નીકળેલો અને ચાલતી જ્ઞાનગોષ્ટિમાં હાજર રહેલો. ડો. ઉમાકાન્ત ભાઈએ મારી ઓળખાણ મુનિશ્રીને આપતાં જણાવેલું કે જૂનાં ઠીઠરાં, પથરા વગેરેની તપાસ કરવાનું મારું કામ છે, અને તે તપાસથી ઇતિહાસ પર સારો પ્રકાશ પડે છે. મુનિશ્રી સાથે ત્યાર પછી મારો પરિચય વધ્યો, અને તેની સાથે તેમની જાગૃતિ તથા જ્ઞાનોપાસનાનો તેમનો આજીવન યજ્ઞ પણ નજર સમક્ષ આવ્યો. મુનિશ્રીની ઉત્કંઠા ભારે. તેમણે મને જણાવ્યું કે અમે જ્યારે વિહાર કરતાં હોઈએ છીએ ત્યારે ઘણી વસ્તુઓ જોતા હોઈએ છીએ, પણ તેમાં ઠીકરાં, ટેકરા વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, તો એ ઠીકરાં કેવાં હોય છે તે મારે જોવાં છે. મને ઘણી નવાઈ લાગી. પણ એ ભાવ દબાવી દઈને મહારાજશ્રીને મેં જ્યારે જૂની વસ્તુઓ બતાવી ત્યારે તેમણે જે ચોકસાઈથી પ્રશ્નો પૂછ્યા તે કોઈ પણ પુરાવસ્તુવિદની જિજ્ઞાસાની કસોટીએ જરાં પણ ઊતરે એમ ન હતા. તેમણે એ વસ્તુઓ ઓળખી લીધી અને તેને માટે વધુ માહિતી બાબત પણ ટકોર કરી. ત્યાર બાદ મહારાષ્ત્રીને મારે એક શિલાલેખ બાબત પ્રશ્ન પુછવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે મેં જે પત્ર લખ્યો તેનો વળતી ટપાલે અત્યંત વિગતવાર જવાબ મળી જતાં મારું કામ ઊકલી ગયું. આ એક માત્ર મારો અનુભવનથી, પણ તેમના પરિચયમાં આવનાર અનેક લોકોનો આ અનુભવ છે. પ્રો. બેન્ડર, પ્રો. નોર્મન બ્રાઉન જેવા પરદેશી વિદ્વાનો પણ મુનિશ્રીના પરિચયમાં આવ્યા પછી આજે પણ તેમનું નામ, તેમણે તેમને આપેલી મદદ વગેરેને લીધે જ આદરપૂર્વક સંભારે છે તે સાંભળતાં મહારાજશ્રીએ પોતાની જ્ઞાનોપાસનાની ફેલાવેલી 151 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy