________________
લિપિશાસ્ત્રના તેમજ અન્ય અનેક કળાઓના પારગામી અને પરીક્ષક એવા આ મુનિશ્રીમાં જ્ઞાનની ગંભીરતા સાથે વિનમ્રતા અને ઋજુતા એવી તો જામી ગઈ છે કે એક નાના બાળકને પણ એમની સાથે બેસી વાત કરતાં સંકોચ થતો નથી. એમનું વાત્સલ્ય અને કામ કરવાની અનોખી રીતે કોઈપણ વિદ્વાનનો કે મળવા જનાર વ્યક્તિનો સંકોચ ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેઓ સંપ્રદાયે જૈન હોવા છતાં સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોવાને કારણે વિશ્વમાંના સૌ સંશોધક વિદ્વાનોનો પ્રેમ સંપાદન કરી શક્યા છે અને એ રીતે તેઓ એક વિશ્વમાનવ છે.
આજે પણ ભારતના કે અન્ય પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિદ્વાનને એમની સહાય મળવામાં કોઈ પણ જાતનો અંતરાય નથી નડતો. આવા માત્ર જૈન સંપ્રદાયના જ નહિ પણ આપણઆ દેશના અને અતિશયોક્તિ વિના આખા વિશ્વના પ્રાચ્ય વિદ્યા સંશોધનના રત્નને પરમકૃપાળુ પરમાત્મા સ્વાસ્થ અને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના. ઇતિ શમ્
પૂ. પુણ્યવિજયજીની વિદ્યાસાધના
- ડો. પ્રબોધ બેચરદાસ પંડિત, દિલ્હી આપણી સાધુસંસ્થાના સભ્યો સાથે મારો પરિચય નહિવતું, જે થોડો પરિચય તેનો સંદર્ભ પણ જુદો : બાળપણથી અમે સાધુઓને મારા પિતાજી પાસે અભ્યાસ કરવા આવનાર વ્યક્તિઓ તરીકે જ ઓળખ્યા છે. એમને વિદ્યાપ્રેમી અને સંશોધકો તરીકે જ ઓખળવાના અમારા બાળપણના સંસ્કારોનું સ્વાભાવિક રીતે જ, બહુ ઓછા સાધુઓ સાથે આ ભૂમિકાએ પરિચય કેળવી શકાય. મેં પૂ. પુણ્યવિજ્યજી મહારાજને એક વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ જોયા અને ઓળખ્યા છે.
હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા પિતાજી સાથે પાટણ જવાનું બન્યું. ઐતિહાસિક નગર, પ્રાચીન અવશેષો અને જ્ઞાનભંડારો એવાં અનેક આકર્ષણો. પિતાજીને પૂ. ચતુરવિજયજી અને પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું કામ. આચાર્ય હેમચંદ્રની પરંપરા અને જ્ઞાનભંડારોના આ સંદર્ભમાં એ વિશિષ્ટ સાધુઓ સાથે મારો પ્રથમ પરિચય. પછી તો, મારા પિતાજી સાથે અને એકલા, પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું અનેકવાર થયું છે; મારામાં પરંપરામાન્ય ધાર્મિક સંસ્કારોનો અભાવ, વંદના કરતાં કે સુખશાતા પૂછતાં પણ આવડે નહીં, છતાં પૂ. પુણ્યવિજયજી મહારાજે મને કદાપિ એવું લાગવા દીધું નથી કે હું બહારનો છું કે મારા વર્તનમાં કંઈ ઊણપ છે. મારા વિદ્યાભ્યાસમાં એમણે રસ લીધો છે એટલું જ નહિ, પણ એમ.એ. થયા પછી ભાષાવિજ્ઞાનના અભ્યાસાર્થે વિલાયત જવા માટે એમના થકી મને સહાય પણ મળી છે. આ બધું, આ વિદ્યાના તાંતણે જ બંધાયેલું; આગમોના સંપાદનમાં, સંપાદનપદ્ધતિમાં, શબ્દોના અર્થો અને વ્યુત્પત્તિઓમાં એમની દષ્ટિ અને મારી દષ્ટિમાં ઘણો ફરક અને એમને એની જાણ, છતાં ઉદારભાવે એમણે મારી પ્રવૃત્તિને હંમેશાં વેગ અને ટેકો આપ્યાં છે. વિદ્યાધનોમાં પણ આવી ઉદારતા વિરલ હોય છે.
વિદ્યાક્ષેત્રે પૂ. પુણ્યવિજયજી મહારાજની કેટલીક નોંધવા જેવી–ગુજરાત જેને માટે ગૌરવ લે અને ઋણી રહે તેવી-સિદ્ધિઓનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય; હું અહીં એમાંની બેનો ઉલ્લેખ કરું છું. જેસલમેરના ભંડારની હાથપ્રતોની યાદીનું સંપાદન અને મધ્યકાલીન ગુજરાતી લખાવટનું અધ્યયન. 141
થી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org