SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ એમના પ્રગુરુ તથા ગુરુના હાથ નીચે સારી એવી તાલીમ મેળવ્યા બાદ એમણે જૈન આગમોનું શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કરી ઉદ્ધાર કરવાના હેતુથી જૈન આગમ ગ્રંથો ઉપરાંત વસુદેવહિપ્પી' જેવા સર્જક ગ્રંથોનું હસ્તપ્રતોને આધારે, હસ્તપ્રતોનો ઉદ્ધાર કરતાં કરતાં, સંપાદન અને એ રીતે ઉદ્ધાર કર્યો છે. એમના પ્રગુરુ તથા ગુરુ ક્રમશઃ કાળધર્મ પામ્યા પછી પણ આજ દિન સુધી લગભગ ૭૪ વર્ષની વયે પણ એક યુવાનને પણ પ્રેરણા આપે એ ગતિથી આ સંશોધન તથા સંપાદનનું કામ ચાલુ રાખ્યું છે. એ કામના પરિપાકરૂપે જૈન આગમોના અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. આ ઉપરાંત આવું સંશોધન તથા સંપાદન શાસ્ત્રીય પદ્ધતિથી કરનાર અનેક ભારતીય તેમજ વિદેશના વિદ્વાનો હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા એમણે કરી છે. આમ આજે જે સંશોધન તથા સંપાદન ક્ષેત્રમાં ખ્યાતનામ છે, તેમાંના ઘણા વિદ્વાનોના તેઓ આ પ્રાચ્યવિદ્યાના સંશોધન-ક્ષેત્રના શિક્ષક તથા સહાયક રહ્યા છે. ગુજરાતમાં એમણે મુખ્યત્વે પાટણનો હેમચંદ્રનો જ્ઞાનભંડાર, ખંભાતનો શાંતિનાથનો ભંડાર, લીમડીનો ભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરવા ઉપરાંત આ ક્ષેત્રમાં કોઈપણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી ત્યાંના જ્ઞાનભંડારોના ઉદ્ધારનું કર્યું છે. એમાણે આ કામ કઈ અજબ રીતે કર્યું છે તેનો ખ્યાલ, જેણે આ કામ થતું પ્રત્યક્ષ જોયું હોય તેને જ આવી શકે. અહીં જ એમની લિપિશાસ્ત્રની અગાધ નિપુણતા પ્રત્યક્ષ દેખાય છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં ટ્રસ્ટીઓની વિનંતિથી તેઓએ સંપ્રદાયના નિયમનું યથાર્થ પાલન કરી, એમની સાધુમંડળી સાથે પગપાળા જ ઈ.સ. ૧૯૫૦માં પાટણથી વિહાર કર્યો હતો. ત્યાં આ કામ કરવા માટે રહેવાની તથા કામ કરવાની અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ આ બધી મુશ્કેલીઓને એમણે એમની કાર્ય કરવાની સાહજિક કુશળતા તથાકુનેહથી પાર કરી હતી. જેસલમેરના આ જ્ઞાનભંડારોની તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો એકબીજા સાથે એવી તો સેળભેળ થઈ ગઈ હતી કે એને છૂટી પાડી વ્યવસ્થિત કરવા માટે કોઈ પણ વિદ્વાન હિંમત હારી, જાય; હતો, પણ એમણે આ કાર્યની વિકટતા જોઈ એ કામ મૂકી દીધું હતું. વડોદરાના વિદ્વાન શ્રી દલાલે પણ માત્ર આ ભંડારની પ્રતોની, એ પ્રતો જે રીતે ઉપલબ્ધ થઈ એ રીતની, એક સૂચી માત્ર તૈયાર કરી હતી. પરંતુ મુનિશ્રી પુણ્યવિજયજીએ, ઉપર જણાવ્યું તેમ, અનેક મુશ્કેલીઓ વચ્ચે એમના સહાયક સાથીદારો સાથે ખંત અને ધીરજથી આ કામ સતત પરિશ્રમ કરી પાર પાડ્યું. તાડપત્રની હસ્તપ્રતો એવી તો ભેળસેળ થઈ ગઈ હતી કે કેટલીક હસ્તપ્રતો અંદર હોવા છતાં એ છે કે ગૂમ થઈ ગઈ છે તે કહી શકાતું ન હતું. એમણે જેસલમેરમાં પોતે જે ખંડમાં રહેતા હતા, ત્યાં સૌ પહેલાં બધીએ હસ્તપ્રતો મંગાવી, તાડપત્રની આ હસ્તપ્રતોનાં એકેએકપત્રો જુદાં કરી નંખાવ્યાં. એમ કર્યા બાદ એમાણે લાગલગાટ બે માસ સુધી દિવસના લગભગ ૧૬ થી ૧૭ કલાક સુધી સાથીદારો સાથે કામ કરી એક એક તાડપત્ર ખૂબ જ ધીરતથી અને ખંતથી ગોઠવ્યા. આમાં કેટલાએક તાડપત્રોની સરખા અક્ષરવાળી બે પ્રતો પણ હતી. એમાં અમુક પત્રકઈ પ્રતનું છે, એનો નિર્ણય એમની સૂક્ષ્મક્ષિકા અને લિપિશાસ્ત્રના ગંભીર જ્ઞાનને આધારે કર્યો. આ પરિશ્રમના પરિણામે લગભગ ૮૦ જેટલી તાડપત્ર ઉપરની હસ્તપ્રતો, જે અગાઉનાં સૂચીપત્રોમાં નથી એમ જણાવી, તે. 139 શ્રી પુણ્યુંજોરત્ર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy