SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુબંધુ પૂ. મેઘવિજયજી મહારાજ પાસે આસપાસના મહોલ્લામાં રહેતા કિશોરો સ્કૂલના અભ્યાસ માટે કે વાર્તા-વિનોદ માટે આવતા તેમની સાથે રમતો અને તેમને ઘેર જતો. એ અરસામાં- મહારાજશ્રી સાથેના પરિચય પછી એકાદ માસમાં - તેમની સુચનાથી આચાર્ય હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ'નું વાચન એમની પાસે આવ્યું. મહેન્દ્ર જૈન પંચાંગના સંપાદક જ્યોતિર્વિદમુનિ શ્રી વિકાસવિજયજી (પછીથી વિજયવિકાસચંદ્રસૂરિજી) મારા સહાધ્યાયી હતા. પ્રાકૃત વ્યાકરણ’નાં આશરે પંદરસો સૂત્રો રસ અને ઉત્સાહથી મુખપાઠ કરેલાં. એ માટે મહારાજશ્રીએ ભેટ આપેલી ડો. પી. એલ. વૈદ્ય-સંપાદિત પ્રાકૃત વ્યાકરણની નકલ એક મોંઘા સંભારણા તરીકે મેં સાચવી રાખી છે. દેશ-વિદેશના અનેક વિદ્વાનોનાં દર્શન સાગરના ઉપાશ્રયે થયાં. ‘પ્રાકૃત વ્યાકરણ'નું અમારું વાચન ચાલતું હતું એ સમયે જ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. આશ્ડોર્ફ આવ્યા હતા. મહારાજશ્રી અને તેમની વચ્ચે સંસ્કૃતમાં થયેલા વાર્તાલાપનાં કેટલાંક વાક્યો આજ સુધી મને શબ્દશઃ યાદ છે. જૈનાશ્રિત ચિત્રકલાના સંશોધન માટે આવેલા અમેરિકન વિદ્વાન પ્રો. નોર્મન બ્રાઉનનું પ્રથમ દર્શન ત્યાં થયું હતું. પૂ. પંડિત સુખલાલજી અને શ્રી રસિકલાલભાઈ પરીખનાં પ્રથમ દર્શને એકસાથે ત્યાં થયાં હતાં. શ્રી બલવંતરાય ક. ઠાકોર અને શ્રી રામનારાયણ વિ. પાઠકને સૌ પહેલાં ત્યાં મળવાનું થયું હતું. જૈન ગુર્જર સાહિત્યના વિશિષ્ટ સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના એ સમયના નિયામક ડો. વિનયતોષ ભટ્ટાચાર્ય સાથે પ્રથમ વાર્તાલાપ ત્યાં થયો હતો. પં. બેચરદાસ દોશી, શ્રી મધુસૂદન મોદી અને પં. લાલચંદ ગાંધી– એ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યના ઊંડા અભ્યાસીઓને પોતાનાં કામો કરતાં ત્યાં જોયા હતા. ભવિષ્યમાં જેઓ પૂ. મહારાજશ્રીના અત્યંત કાર્યક્ષમ સંશોધન - સહાયક થવાના હતા તે ૫. અમૃતલાલ ભોજક સાથેની આજીવન મૈત્રીનો આરંભ ત્યાં થયો હતો. એક કિશોરના જીવનમાં માત્ર ત્રણેક વર્ષમાં થયેલી આ કમાણી બહુમૂલ્ય હતી, એમ પશ્ચાદવલોકન કરતાં મને લાગે સને ૧૯૩૪માં અમે અમદાવાદ રહેવા ગયા; અને થોડોક સમય પત્રકારત્વમાં ગાળ્યા પછી આગળ અભ્યાસ માટે હું કોલેજમાં જોડાયો. મહારાજશ્રીનો નિવાસ તો પાટણમાં હતો. રજાઓ અને વેકેશનોમાં હું અચૂક પાટણ જતો અને અગાઉનો કમ પાછો ચાલુ થઈ જતો. એની વિગતોમાં ઊતરવાનું અહીં પ્રસ્તુત નથી. બહાર વસતા અનેક પટણી મિત્રો અને સ્નેહી સંબંધીઓ મને કહેતા અને આજે પણ કહે છે કે “પાટણમાં અમે શું કરીએ? અમારો સમય જતો નથી.” પણ ઉક્ત ક્રમને કારણે પાટણમાં મારો વખત બહુ ફલપ્રદ રીતે જતો, એટલું જ નહિ, હકીકતમાં વેકેશન ટૂંકી પડતી. એવી બે વેકેશનોમાં થઈ પૂ. મહારાજશ્રી પાસે પ્રાકૃત મહાગ્રંથ ‘વસુદેવ-હિંડી'નું (જેનું સંપાદન તેઓએ તથા તેમના પૂજ્ય ગુરુજીએ કરેલું છે) સાદ્યન્ત વાચન મેં કર્યું અને પછીથી એનો ગુજરાતી અનુવાદ કર્યો, જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કર્યો છે. • • સને ૧૯૩૪માં એમ.એ. થઈ ગુજરાત વિદ્યાસભાના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાં (પછીના ભો. જે. વિદ્યાભવનમાં) હું જોડાયો. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' એ વિષયનું સંશોધનકાર્ય સંસ્થા તરફથી મહારાજશ્રીને સોંપાયું હતું, પણ આગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેઓએ હાથ ધરતાં એ કાર્ય મને સોંપાયું અને એ વિષયના શ્રેષ્ઠ તદ્ધિક તરીકે તેમની અનેકવિધ સહાય મને મળી. એમનું જ કામ પ્રોક્સી' તરીકે મેં કર્યું એમ 135 થી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy