SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ યોજનામાં પણ તેમને રસ છે જ. આથી છેવટે હવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનનો યશ લેવા નકકી કર્યું છે. પણ એ યશ પૂ. મહારાજશ્રીની કામ કરવાની જે પ્રક્રિયા છે તે પ્રમાણે ચાલતા વિદ્યાલયને આકરો પડી જાય તેમ છે. પણ પૂ. મહારાજશ્રી તો પોતાની રીતે જ તે કામ કરવાના. કોઈ છાપવાનું નક્કી કરે તે છોડી દે તેનો તેમને રોષ નથી. કામ સતત ચાલુ રહેવું જોઈએ, કામમાં તન્મયતા જોઈએ, પણ તેમનું કામ એટલે માત્ર આગમસંશોધનું જ કામ નથી પણ બીજાં અનેક કામો છે. સૌ યથાસંયોગ તેમનો સમય માગી લે છે અને તે આપવામાં તેમને જરા પણ સંકોચ નથી. તેમને મન મહત્ત્વની તરતમતા નથી; જે ટાણે જે જરૂરી હોય તે ટાણે તે કરી દેવું એ એનું મહત્ત્વ છે. હમણાં જ મેં તેમને વિનંતી કરી કે અહીં ‘ઉપમિતિભવપ્રપંચ કથા'નો બીજો પ્રવેશ મારે ભણાવવાનો છે, તો તેનાં પાઠાંતરો અને શુદ્ધિ મને કોઈ સારી પ્રતને આધારે કરી મોકલો. મારી આ વિનંતી સ્વીકારીને તે તેમણે તરત કરી મોકલ્યું. આવું તો અનેકને માટે તેઓ કરતા હોય છે, તે એમનો સ્વભાવ છે. એટલે આપણી ધીરજ ન રહે અને આપણે એમ માનીએ કે પૂ. મહારાજશ્રી અમુક કામ જ કરે, બીજું ન જ કરે, એ બનવું અસંભવ જણાય છે. પણ એટલું તો નક્કી જ છે કે તેમણે તૈયાર કરેલ પુસ્તકમાં અન્ય દ્વારા સંશોધન લગભગ અશક્ય જ છે, કારણ કે તેમનો પ્રયત્ન યથાશક્ય સકલ સામગ્રીનો ઉપયોગ કરીને સંશોધિત પુસ્તક તૈયાર કરવાનો રહે છે. આથી આગમની જે આવૃત્તિ તેમના દ્વારા તૈયાર થશે તે લગભગ છેવટની જ હશે. આવતી પેઢીમાં આટલી ધીરજ, આટલી ખંત અને આટલો પરિશ્રમ કરી આવા પ્રાચીન ગ્રન્થોના ઉદ્ધારની નિકા જવલ્લે જમળવા સંભવ છે. જૈન સમાજ પૈસાના મૂલ્યમાં બધી વસ્તુની કિંમત આંકે છે– તેને આ નિષ્ઠાનું મૂલ્ય સમજવામાં ઘણી અડચણ પડે તેમ છે. કારણ, તે તો એમ જ વિચારે છે કે આ પુસ્તક છપાયું તેમાં આટલાં વર્ષ ગયાં અને આટલું ખર્ચ થયું. પરંતુ જે આગમોને તે પવિત્ર અને પ્રમાણરૂપ માને છે, તેના શુદ્ધિકરણના મૂલ્યને પૈસામાં આંકી શકાય જ નહિ. આ માટે બાયબલ માટે તેના અનુયાયી જે ખર્ચ કરે છે–આજે પણ તેના વિશુદ્ધ અંગ્રેજી અનુવાદ માટે–તેનો અંદાજ જો જૈન સમાજ પાસે મૂકવામાં આવે તો તેમણે રૂપિયામાં નહિ પણ લાખો રૂપિયામાં પાઈ જેટલો પણ ખર્ચ આગમ માટે નથી કર્યો તે જણાઈ આવશે. મહારાજશ્રીને મન આવા કાર્યનું મૂલ્ય પૈસામાં નથી, સ્વયં કાર્યનું જ મહત્ત્વ છે. કાર્યનું મહાવીસરાઈ જાય અને પૈસાનું મહત્ત્વ વધી જાય તો કામ યથાયોગ્ય થઈ શકે નહિ–આ ભાવના તેમના સ્વભાવગત છે. તેમનો વિશ્વાસ છે કે કાર્ય સારું હશે તો પૈસાને કારણે તે અટકી પડશે નહિ. તેમણે અનુભવ્યું છે કે તેમનું કોઈ પણ કાર્ય તે કારણે અટકી પડ્યું નથી. ઘણી વાર તેઓ જેસલમેરના ભંડારના ઉદ્ધારની વાત કરે છે. નીકળ્યા ત્યારે માત્ર તેનો ઉદ્ધાર કરવો છે એ એક જ નિષ્ઠા લઈને નિકળ્યા, અને ત્યાં પહોંચી ગયા. સાથીઓને બોલાવ્યા, તેમના ભોજન વગેરેની વ્યવસ્થા કરી અને રાત-દિન એક કરી એ કામમાં સૌ લાગી ગયા. કામ પૂરું થયું અને તે માટે પૈસા મળી રહ્યા. આજે તે ભંડાર સુરક્ષિત-વ્યવસ્થિત છે. પણ તે એવે સ્થળે છે, જ્યાં આક્રમણનો ભય સદૈવ રહે છે. આ ચિંતા તેમને સતાવી રહી છે. પણ આ જૈન સમાજ સંપત્તિ-પરિગ્રહમાં માને છે–ભગવાનના વચનથી વિરુદ્ધ જઈને; એની મારાપણાની ભાવના જતી નથી. જેસલમેરનું જેસલમેરમાં રહેવું જોઈએ-આ ભાવના ક્યારેક કદાચ તે અમૂલ્ય ભંડારને જોખમમાં નાંખી દેશે, પણ એ સજનો તેને અન્યત્ર ખસેડશે નહિ. આવી જૈન સમાજની સ્થિતિ છે. પણ મહારાજશ્રીએ તો પોતાની ફરજ શ્રી પુણ્યચરિત્રમ્ 130 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy