SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષો પ્રત્યેની મારી આભારની ઊંડી લાગણીને, કોઈ અજ્ઞાત કવિના સુભાષિતનો ઉપયોગ કરીને, વ્યક્ત કરું તો મારે કહેવું જોઈએ કે– न मैंने हँस के सीखा है, न मैंने रोके सीखा है । मैंने जो कुछ भी सीखा है, इन्हीं का हो के सीखा है ! સ્તંભતીર્થ,પોષ વદિ ૩, વિ. સં. ૨૦૨૫ ** પ્રાતઃસ્મરણીય ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, ગુણભંડાર, પુણ્યનામ અને પુણ્યધામ તથા શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલાના ઉત્પાદક, સંશોધક અને સંપાદક ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ વિ. સં. ૧૯૯૬ના કાર્તિક વદી પની પાછલી રાત્રે પરલોકવાસી થયા છે, એ સમાચાર જાણી પ્રત્યેક ગુણગ્રાહી સાહિત્યરસિક વિદ્વાનને દુઃખ થયા સિવાય નહિ જ રહે. તે છતાં એ વાત નિર્વિવાદ છે કે જગતના એ અટલ નિયમના અપવાદરૂપ કોઈ પણ પ્રાણધારી નથી. આ સ્થિતિમાં વિજ્ઞાનવાન સત્પુરુષો પોતાના અનિત્ય જીવનમાં તેમનાથી બને તેટલાં સત્કાર્યો કરવામાં પરાયણ રહી પોતાની આસપાસ વસનાર મહાનુભાવ અનુયાયી વર્ગને વિશિષ્ટ માર્ગ ચીંધતા જાય છે. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે સ્વગુરુચરણવાસ, શાસ્રસંશોધન અને જ્ઞાનોદ્વાર એ વસ્તુઓ એકરૂપે વણાઈ ગઈ હતી. પોતાના લગભગ પચાસ વર્ષ જેટલા ચિર પ્રવ્રજ્યાપર્યાયમાં અપવાદરૂપ–અને તે પણ સકારણ— વર્ષો બાદ કરીએ તો આખી જિંદગી તેઓશ્રીએ ગુરુચરણસેવામાં જ ગાળી છે. ગ્રંથમુદ્રણના યુગ પહેલાં તેમણે સંખ્યાબંધ શાસ્ત્રોના લખવા-લખાવવામાં અને સંશોધનમાં વર્ષો ગાળ્યાં છે. પાટણ, વડોદરા, લીંબડી આદિના વિશાળ જ્ઞાનભંડારોના ઉદ્ધાર અને તેને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત કરવા પાછળ વર્ષો સુધી શ્રમ ઉઠાવ્યો છે. શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળાની તેમણે બરાબર ત્રીસ વર્ષ પર્યંત અપ્રમત્ત ભાવે સેવા કરી છે. શ્રી આ. હૈ. ગ્રં. ૨. મા.ના તો તેઓશ્રી આત્મસ્વરૂપ જ હતા. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે છગડાનો ખૂબ જ મેળ રહ્યો છે. અને એ અંકથી અંકિત વર્ષોમાં તેમણે વિશિષ્ટ કાર્યો સાધ્યાં છે. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૯૨૬માં થયો છે, દીક્ષા ૧૯૪૬માં લીધી છે, (હું જો ભૂલતો ન હોઉં તો) પાટણના જૈન ભંડારોની સુવ્યવસ્થાનું કાર્ય ૧૯૫૬માં હાથ ધર્યું હતું. ‘‘શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલા’’ના પ્રકાશનની શરૂઆત ૧૯૬૬માં કરી હતી અને સતત કર્તવ્યપરાયણ, અપ્રમત્ત, આદર્શભૂત સંયમી જીવન વિતાવી ૧૯૯૬માં તેઓશ્રીએ પરલોકવાસ સાધ્યો છે. અસ્તુ. 107 Jain Education International For Private & Personal Use Only શ્રી પુણ્યચરિત્રમ્ www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy