________________
જ નામના મેળવવા માટે જ તેઓ સાધુઓની પાછળ લાગી આવી બધી ક્રિયા કરાવતા હોય છે.” પછી માર્મિક રીતે હસીને કહ્યું: “શ્રાવકો પણ ગારુડી જેવા હોય છે, જેમાં તેમને ગમે તેમ અન્યને નચાવી શકે!'' પછી ધર્મશાસ્ત્રો સંબંધમાં મહારાજશ્રીએ કહ્યું: “આજે તો શાસ્ત્રોને હથિયાર બનાવી સાધુઓ પણ અંદર અંદર લડી રહ્યાં છે. ધર્મ શાસ્ત્રોમાં નથી કે મંદિરોમાં પણ નથી, ધર્મ તો માણસના આત્મામાં રહેલો છે. સમતા અને સમભાવ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સાચો ધર્મ પ્રાપ્ત થયો ન માની શકાય.”
(3).
તા. ૧૮-૧૨-૬૯, ગુરુવાર. શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હું આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસે ગયા હતા. આપણા શ્રમણ સંઘના સાધુઓની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા થતાં મહારાજશ્રીએ વિષણ હૈયે કહ્યું: “આજે તો સાધુઓ પણ એટલા નીચે ઊતરી ગયા છે કે ભંડારોમાંથી સારાં પુસ્તકો તેઓને જોઈતાં હોય તો આપવામાં આવતાં નથી, કારણ કે એવા સાધુઓ પણ જોવામાં આવે છે કે જે ગ્રંથો વેચીને પૈસા ઉપજાવી લે છે. આવા કિસ્સાઓ બનેલા હોવાના કારણે ગ્રંથભંડારો હવે સાધુઓને ગ્રંથો આપતાં પહેલાં ડિપોઝીટ પૈસા લે છે. સાધુઓ પણ આ રીતે ડિપોઝીટ પૈસા આપી ગ્રંથો લે છે. હવે આમાં અપરિગ્રહપણું ક્યાં રહ્યું?'
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ તરફથી તાજેતરમાં બહાર પડેલ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના ત્રણ ભાગો સંબંધમાં વાત નીકળતાં મહારાજશ્રીએ કહ્યું કે તે ગ્રંથો તેમણે વાંચ્યા નથી. તેમ છતાં એ સંબંધમાં કહ્યું કે “ઘણાં વરસો પહેલાં સદ્ગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અનન્ય ભક્ત સદ્ગત શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર આચાર્યશ્રીના હાથે લખેલા એ ગ્રંથોની મેટર લઈ મને અમદાવાદ મળવા આવ્યા હતા. શ્રી પાદરાકર પોતે જ એ ગ્રંથોના પ્રકાશનની વિરુદ્ધમાં હતા એવું કાંઈક મને યાદ છે. આ દષ્ટિએ આ ગ્રંથોનું પ્રકાશન કેટલે દરજે વાજબી ગણાય તે વિચારવા જેવી વાત છે.”
૫-૧-૭૦, સોમવાર શ્રી ખીમચંદચાંપશી શાહ અને હું આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજની પાસે વાલકેશ્વર ઉપાશ્રય ગયા હતા. મુંબઈમાં સંશોધન અને લેખનકાર્ય ખાસ નથી થઈ શકતું એ સંબંધમાં એમની નારાજી અને ઈતરાજી એમની સાથેની વાતચીત પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતી હતી.
* મંદિરોમાંથી ભગવાનની પ્રતિમાઓ ચોરાઈ જાય છે, એ બાબતમાં થયેલા એક કેસના અંગે ચર્ચા થતાં મહારાજશ્રીએ કહ્યું કે એ કેસમાં શિલ્પ અને સ્થાપત્યના વિષયમાં નિષ્ણાત એવા શ્રી ભોગીલાલ સાંડેસરાએ કેસના આરોપીની વિરુદ્ધમાં જાય એવી જુબાની આપી હતી. જે ન્યાયાધીશ પાસે એ કેસ ચાલતો હતો તેણે
93
શી પુણ્યચઝિમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org