________________
આ દરેક મુમુક્ષુનો જાત અનુભવ છે. એટલે પ્રથમ કાયાનું દમન તપ, પછી વાણીનું દમન અર્થાત્ મૌન અને છેવટે ચિત્તનું દમન- કાયોત્સર્ગ એ સુવિહિતક્રમ- યથાક્રમ શુદ્ધિમાં દર્શાવેલ છે. કાયોત્સર્ગના હેતુઓ :
કાયોત્સર્ગ કયા કયા હેતુઓ માટે કરવામાં આવે છે? “ચૈત્યવંદન ભાષ્ય”માં આ અંગે બાર હેતુઓ વર્ણવવામાં આવ્યા છે.*
૧. તસ્સઉત્તરીના પ્રમુખ ચાર હેતુઓ : ઐર્યાપથિકી પ્રતિક્રમણમાં જીવોની વિરાધના અને તેના પ્રાયશ્ચિત્તના આલોચના અને પ્રતિક્રમણ - એ બે અંગો પૂરા થાય છે. તેના પછી કાયોત્સર્ગ નામનું ત્રીજું અંગ ઉત્તરીકરણની ક્રિયાથી કરવામાં આવે છે. જેમાં ચાર પ્રકારની પ્રક્રિયા વડે પાપ કર્મોનો સંપૂર્ણ ઉચ્છેદ કાયોત્સર્ગમાં થાય છે. તેમાં સ્થિર થતા પહેલા તસ્ય ઉત્તરીનો પાઠ ભણવામાં આવે છે. તેમાંના ચાર હેતુઓ નીચે પ્રમાણે છે. ૧. ઉત્તરીકરણ ૨. પ્રાયશ્ચિત્તકરણ ૩. વિસોહીકરણ ૪. વિશલ્યીકરણ.
આ પ્રમાણે વિશેષ આલોચના, પ્રાયશ્ચિત્ત, ચિત્તવિશુદ્ધિ અને ચિત્તને શલ્ય રહિત કરવાનો ઉપક્રમ પાપોનો સંપૂર્ણ નાશ કરી શકે. આ ચાર હેતુઓ સિદ્ધ કરવા કાયોત્સર્ગનું વિધાન છે.
ઐયંપથિકી પ્રતિક્રમણ ઉપરાંત અતિચારોની જે રીતે આલોચના કરવામાં આવે છે તે જ રીતે બાર અણુવ્રતો અને પંચમહાવ્રત ધર્મની ખંડના વિરાધના વિષે પણ કાયોત્સર્ગ વિષયક સૂત્ર બોલી “તસ્સ ઉત્તરી વડે ઉપર જણાવ્યા મુજબની ચાર પ્રક્રિયાથી પાપ કર્મોના સંપૂર્ણ ઉચ્છેદ અર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા શ્રતધર્મ અને સામાયિક વિષયક કાયિક, વાચિક, માનસિક અતિચાર સેવન, ઉસૂત્ર, ઉન્માર્ગ, અકથ્ય, અકરણીય, દુર્ગાન, દુષ્ટચિંતન, અનાચાર, ન ઈચ્છવા યોગ્ય વર્તનને પણ આ કાયોત્સર્ગ સાંકળી લે છે.
૨. કાયોત્સર્ગના શ્રદ્ધાદિ પાંચ હેતુઓ: અહીં કાયોત્સર્ગ ૧. શ્રદ્ધાની વૃદ્ધિ અર્થે ૨. બુદ્ધિની નિર્મળતા અર્થે. ૩. ચિત્તની સ્વસ્થતા અર્થે. ૪. ધારણા અર્થે અને પ. અનુપ્રેક્ષાદિ ચિંતનની વધતી જતી અવસ્થા અર્થે કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ અહંત ચૈત્યના વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ અને મોક્ષના લક્ષ્ય સાથે કરવામાં આવે છે.
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org