________________
૩. કાયોત્સર્ગના વૈયાવૃત્યાદિ ત્રણ હેતુઓ : અહીં કાયોત્સર્ગ ૧. સંઘનું વૈયાવૃત્ય કરનાર અર્થે. ૨. રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર અર્થે. અને ૩. સમ્યગ્ દ્રષ્ટિઓને સમાધિ ઉપજાવનાર દેવ દેવીઓના આરાધન અર્થે કરવામાં આવે છે.
પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ અને દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તેના કાયોત્સર્ગ પ્રતિક્રમણના અંતે કરવામાં આવે છે. રાત્રિક પ્રતિક્રમણમાં કુસ્વપ્ર-દુ:સ્વપ્ર નિમિત્તે પણ કાયોત્સર્ગ કરવામાં આવે છે. જે પાતકની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોઈ આવશ્યકથી અતિરિક્ત છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં અતિચાર પછી છીંક આવે ત્યારે ક્ષુદ્રોપદ્રવસંઘાતનો કાયોત્સર્ગ પણ કરવામાં આવે છે.
કાર્યોત્સર્ગના આગારો :
પ્રવૃત્તિવાળા શરીરનો ત્યાગ કરવો એટલે કાયોત્સર્ગ. આ માટે પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પરંતુ શરીરની કેટલીક પ્રવૃત્તિ એવી છે કે જે ઈચ્છા વિના પણ થયા કરે છે. તેવી પ્રવૃત્તિઓનો કાયોત્સર્ગમાં અપવાદ રાખવામાં આવે છે. આવા અપવાદને શાસ્ત્રીય ભાષામાં “આગાર' કહેવામાં આવે છે. આવા સોળ આગારો છે. તેમાંના બાર આગારો સ્પષ્ટ રીતે કાઉસગ્ગ સુત્તમાં આપવામાં આવેલ છે. અને ચાર આગારોના નામ એવમાઈએહિં પદથી સમજવાના છે. આવા આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાધિત હોજો તેવી સમજ સાથે આ કાયોત્સર્ગ ક્યાં સુધી અખંડિત રાખવો તેની મર્યાદા આપવામાં આવી છે. “જ્યાં સુધી ‘નમો અરિહંતાણં' એમ બોલીને હું કાયોત્સર્ગ પાળું નહિ/સમાપ્ત ન કરું ત્યાં સુધી મારી કાયા સ્થિર રાખી, વચનથી મૌન ધારણ કરી, તથા મનથી શુભધ્યાનમાં રહી સર્વ પાપ કાર્યોથી મારી કાયાનો સંપૂર્ણ ત્યાગ કરું છું.
,,૧૦
કાર્યોત્સર્ગના પ્રકારો :
૧.
કાયોત્સર્ગ મુખ્યત્વે બે પ્રકારના છે. ૧. ચેષ્ટા ૨. અભિભવ
ચેષ્ટા કાયોત્સર્ગ : આ કાયોત્સર્ગ ગમનાગમન પછી, વિહાર પછી, દિવસના અંતે, રાત્રિના અંતે, પક્ષના અંતે, ચાર્તુમાસના અંતે કે વર્ષ યા સંવત્સરના અંતે કરવામાં આવે છે. તે જધન્ય આઠથી ૨૫, ૨૭, ૩૦૦, ૫૦૦ અને ઉત્કૃષ્ટ ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય છે.
Jain Education International
૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org