SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો તે મૌન વિધિ અનુસાર ગણાય. કેવલ વૈખરીવાણી બંધ કરવાથી મૌન ગણાય નહિ. મૌનના આલંબન વડે નિર્વિકલ્પ પદ સુધી પહોંચવું એટલે વાસ્તંવર વડે સૂક્ષ્મ સાથે સાક્ષાત્કાર સ્થાપિત કરવો. કાયાની સ્થિરતા સિવાય ધ્યાનની પૂર્ણતા સંભવે નહિ. એક જ સ્થાને બન્ને હાથ લાંબા કરીને સમપાદ ઉભા રહેવું અને બન્ને પગ વચ્ચે ચાર આંગળ અંતર રાખી અડોલ અને અકંપ શરીરના અંગો ઊર્ધ્વસ્થિતિની મુદ્રામાં અથવા પર્યંકાસન, પદ્માસન, ગોદોહિકાસન આદિ આસનો દ્વારા આસનમુદ્રામાં અથવા શવાસન રૂપે શિયતમુદ્રામાં ધ્યાનસ્થ થવાથી કાયિક ગુપ્તિની પ્રક્રિયા થાય છે. તેથી કાયા શિથિલ અને નિશ્ચલ બને છે. શયિતમુદ્રા અશક્ત અને વૃદ્ધ સાધક માટે છે. વધારે અશક્તિ હોય અને ચત્તાં સૂવું ફાવે નહિ તો પડખાંભેર સૂઈ શકાય છે જેને એક પાર્શ્વશયન કહે છે. આ પ્રમાણે મનોગુપ્તિની પ્રક્રિયાથી ધ્યાન, વચનગુપ્તિની પ્રક્રિયાથી મૌન અને કાયગુપ્તિની પ્રક્રિયાથી સ્થાન વડે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. એક મહત્ત્વનો તફાવત ધ્યાન અને કાર્યોત્સર્ગમાં છે-ધ્યાનમાં ચક્ષુઓ નિમિલિત કે બંધ હોય છે. જ્યારે કાયોત્સર્ગમાં બંન્ને નેત્રો વિસ્ફારિત અને ખુલ્લાં-મટકું માર્યા વગર- એકાગ્ર- સ્થિર રાખવામાં આવે છે. કાયોત્સર્ગનું ફળ : ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં શ્રી ગૌતમ ગણધરે શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે, “હે ભગવન્ ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે ?” ભગવાને ઉત્તર આપ્યો છે, ‘હે. આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. આ રીતે પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થતા તે જીવ ભાર ઉતારી રાખેલા મજૂર જેમ હળવો બની પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખપૂર્વક વિચરે છે.”૨ ચઉસરણ પયજ્ઞામાં કહ્યું છે કે પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની વ્રણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ શુદ્ધિ થાય છે. કેટલાંક એમ માને છે કે ચિત્તની શુદ્ધિ માટે કાયાનું દમન આવશ્યક નથી પરંતુ કાયા અને વાણીનું દમન કર્યા વિના ચિત્તની શુદ્ધિ થતી નથી. Jain Education International ૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy