SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન હોય છે અને તે જ કારણે તે શબ્દ કે સૂત્ર જેટલી વાર પ્રયોજાય તેટલી વાર દરેક વખતે તેની વિભાવના (Concept) અને તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. દા.ત. “ધર્મ' શબ્દ, ધર્મ શબ્દના વિભિન્ન અર્થો છે એટલે ભિન્ન ભિન્ન વાક્યો અને પ્રસંગોના સંદર્ભમાં તેના ભિન્ન ભિન્ન અર્થ થતા હોય તે સ્વાભાવિક છે. આમ છતાં, એક જ અર્થમાં એક જ ગ્રંથ કે લેખમાં ભિન્ન ભિન્ન સ્થળે પ્રયુક્ત ધર્મ શબ્દની વિભાવના સર્વ સ્થળે સમાન હોતી નથી. તેમાં થોડી થોડી ભિન્નતા આવતી જ હોય છે. તે જ રીતે સામાયિક-પ્રતિક્રમણ આદિની વિધિમાં વિવિધ સ્થળે પ્રયુક્ત એક જ સૂત્ર વિભિન્ન સ્થળોના સંદર્ભમાં વિભિન્ન વિભાવના, અર્થ અને પ્રયોજન ધરાવતા હોય છે. એટલે તે સૂત્ર પૂર્વે આવી ગયેલ હોવા છતાં, જે તે સ્થળે તેનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે. વળી પ્રતિક્રમણ આદિ વિધિઓમાં “સુગુરુ વાંદણા' (વંદનક) સૂત્ર દરેક સમયે બબ્બે વાર બોલવામાં આવે છે. ઘણાને આ અંગે પ્રશ્ન થાય પરંતુ “વાંદણા' સૂત્ર ગુરુ ભગવંત પ્રત્યેના વિનયની અભિવ્યક્તિ કરવા માટે છે અને ગુરુદેવ આપણા સૌથી નજીકના ઉપકારી છે કારણ કે પ્રભુની વાણીને આપણા સુધી પહોંચાડી, દેવ-ગુરુ અને ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ તેઓ આપણને સમજાવે છે. તેથી ગુરુ પ્રત્યેનો અત્યંત પૂજયભાવ બતાવવા માટે વાંદણા' સૂત્ર બે વાર બોલવામાં આવે છે. અત્યારે અમેરિકા જેવા દેશોમાં જન્મ જૈન શ્રાવક-શ્રાવિકાઓ, અને તેમાંય યુવા પેઢીમાં વર્તમાન કાલીન પ્રતિક્રમણની વિધિ પ્રત્યે ખૂબજ અજ્ઞાનતા છે. અને ક્યારેક જ પ્રતિક્રમણ કરતાં એ લોકોને દરરોજ પ્રતિક્રમણ (ષડુ આવશ્યક) કરતા કરવા હોય અથવા તો પર્યુષણ પર્વમાં પણ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરતા કરવા હોય તો પ્રતિક્રમણમાં ઓછામાં ઓછા ત્રણ પરિવર્તન કરવા જરૂરી જણાય છે. સૌપ્રથમ પ્રત્યેક સૂત્રના - જે તે ભાષામાં ભાવાર્થ અને તે સૂત્રનું મહત્ત્વ સમજાવવું અનિવાર્ય છે. ભાવાર્થ અને સૂત્રના મહત્ત્વ વિના પ્રતિક્રમણમાં રસ પડે નહિ, ભાવ આવે નહિ તે સ્વાભાવિક છે. બીજું બાળકને અથવા મોટાને સૂત્ર કંઠસ્થ કરાવીએ ત્યારે સૂત્રની સંપૂર્ણ અર્થ સમજુતી જે તે ભાષામાં આપવી. ત્રીજી વાત કદાચ બહુ ક્રાંતિકારી લાગે તેવી છે પરંતુ આજના જમાનાની એ માંગ છે. એટલે વહેલો કે મોડો એ અંગે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ Jain Education International i mational For Private a m For Private & Versenal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy