SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગા થઈ વિચાર કરવો જરૂરી બનશે. વર્તમાન પ્રતિક્રમણની વિધિ ઘણી લાંબી છે. ચાલુ દેવસિક અને રાઈ પ્રતિક્રમણ કરતાં પણ એક કલાક ઉપર થઈ જાય છે. પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ બે-અઢી કલાકથી લઈ ત્રણ કલાક સુધી ચાલે છે. આજની પેઢી આટલો લાંબો સમય યંત્રવત્ ક્રિયા કરે તે સંભવિત નથી. એટલે શાસ્ત્ર બાધ ન આવે તે રીતે પ્રતિક્રમણની વિધિનો સંક્ષેપ કરવો જરૂરી છે. અને એટલે જ આજે ઉપાશ્રયમાં દરરોજ પ્રતિક્રમણ કરનારની સંખ્યા ઘટતી જાય છે. અમુક ગામમાં તો કોઈ જ પ્રતિક્રમણ કરવા આવતું નથી. મૂળતઃ પ્રતિક્રમણમાં પ્રતિક્રમણની સ્થાપનાથી લઈને જ આવશ્યક પૂર્ણ થાય. ત્યાં સુધીનું જ પ્રતિક્રમણ છે. તેની આગળ-પાછળનું બધુંજ પાછળથી ઉમેરવામાં આવ્યું. અલબત્ત, એ યુગમાં એ જરૂરી પણ હતું અને આજે પણ સાધુ-સાધ્વી માટે એ જરૂરી છે પરંતુ શ્રાવક શ્રાવિકા માટે પણ એ ફરજિયાત બનાવી દેતાં, પ્રતિક્રમણમાં શ્રાવક-શ્રાવિકાની સંખ્યામાં ઘટાડો થયો છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે પ્રક્ષેપ થઈ શકે તો એ પ્રક્ષેપ થયેલ વિધિ, ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા થઈ, તે અંગે વિચાર કરી સર્વાનુમતે, એમાં સંક્ષેપ કરે તો જ પ્રતિક્રમણ કરનાર આરાધક વર્ગમાં વૃદ્ધિ કરી શકાશે. અન્યથા શ્રાવક-શ્રાવિકા વર્ગમાંથી પ્રતિક્રમણ કદાચ પૂર્ણતયા બંધ પણ થઈ જાય. તેથી “સર્વનાશે સમુત્પન્ન, અર્ધ ત્યજતિ પંડિતઃ' ઉક્તિ અનુસાર સંક્ષેપ કરવો અનિવાર્ય જણાય છે. અલબત્ત, આવો ફેરફાર કોઈ ગૃહસ્થ કે મુનિ મનસ્વી રીતે તો ન જ કરી શકે. દેશ-કાળના જ્ઞાતા અને ગીતાર્થ (શાસ્ત્રના રહસ્યને જાણનારા) સંઘમાન્ય – અધિકૃત આચાર્ય આદિ જ કરી શકે. પૂર્વે પણ આ રીતે પરિવર્તનો થયાં છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યકનો ક્રમ પણ ખૂબ જ વિચારપૂર્વક યોજવામાં આવ્યો છે. રાગ-દ્વેષના પરિણામ સમ-શિથિલ થયા વિના શ્રીજિનેશ્વર પ્રભુ કે શ્રીજિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલ ધર્મ કે તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી એટલે રાગ-દ્વેષના પરિણામ સમ કરવા માટે “સામાયિક આવશ્યક સૌ પ્રથમ કહ્યું છે. શાસ્ત્રોમાં સમ્યકત્વને પણ સામાયિક કહ્યું છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી પ્રભુ અને પ્રભુનાં વચનો પ્રત્યે શ્રદ્ધા, (xvii Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy