SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોની ગતિ અચિત્ત્વ છે. પ્રકાશની ગતિ ૩,૦૦,૦૦૦ કિ.મી./સેકંડ પણ તેની આગળ વામણી ગણી શકાય. આ રીતે સૂક્ષ્મતા, ઘનતા અને વેગ ત્રણે રીતે મન ખૂબજ શક્તિશાળી સાધન છે. અને એ જો ક્રિયાથી અલિપ્ત રહે તો સંપૂર્ણ ક્રિયા યંત્રવત્ બની જાય છે. અને એ યંત્રવત્ ક્રિયાનું જિનશાસનમાં કોઈ મૂલ્ય નથી. માટે ભાવશુદ્ધિ સંપૂર્ણપણે લાવવી હોય તો અર્થ અને ચિંતન પણ જરૂરી છે. સંવત્સરી પ્રતિક્રમણ અર્થાત્ પર્યુષણાની આરાધના શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના સમયથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. અલબત્ત, આ પ્રતિક્રમણની વિધિમાં સૈકે સૈર્ક અથવા સંપ્રદાય ભેદે થોડીક ભિન્નતા થતી આવી છે. આ વિધિમાં પ્રાયશ્ચિત તથા કર્મક્ષયના કાયોત્સર્ગ/કાઉસગ્ગ, સ્તવન-સજઝાય (સ્વાધ્યાય) નિત્યક્રમમાં આવતાં હોવાથી તેમને પ્રતિક્રમણની વિધિ સાથે જોડી દેવામાં આવ્યા છે. એટલો ભાગ પ્રક્ષિપ્ત છે. બાકી મૂળિિવધમાંથી કાંઈપણ ઓછું કરવામાં આવ્યું નથી. શ્રીકલ્પસૂત્ર મૂળ(બારસાસૂત્ર)માં સામાચારીમાં ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ સ્વયં કહ્યું છે કે જે પ્રમાણે તીર્થંકર પરમાત્માએ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણાની આરાધના કરી તે જ પ્રમાણે ગણધર ભગવંતોએ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કર્યા છે. જે રીતે ગણધર ભગવંતોએ પર્યુષણા કર્યા તે રીતે ગણધર ભગવંતોના શિષ્યોએ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કર્યા, તે જ રીતે સ્થવિર મુનિઓએ પર્યુષણા કર્યા અને તે જ પ્રમાણે અત્યારે જે શ્રમણ નિગ્રંથો વિચરે છે તેઓ પણ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કરે છે, તે રીતે અમે આચાર્યો, ઉપાધ્યાયો પણ આજે પર્યુષણા કરીએ છીએ. તે રીતે અમે સૌ ચાતુર્માસના પચાસમા દિવસે પર્યુષણા કરીએ છીએ. પરંતુ પર્યુષણા (ભાદરવા સુદ ૪/૫)ની રાત્રિનું ઉલ્લંઘન કરવું કલ્પે નહિ.૧૧ પર્યુષણા એટલે સંવત્સરી વાર્ષિક પ્રતિક્રમણ અર્થાત્ આપણી પ્રતિક્રમણની વિધિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સમયથી ચાલી આવે છે. પ્રતિક્રમણની વિધિમાં અમુક સૂત્રો વારંવાર આવે છે તેથી વિધિના તથા તેના પ્રયોજન સંબંધી રહસ્યોથી અજ્ઞાત આરાધકોના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ સૂત્ર તો પૂર્વે આવી ગયેલ છે તો અહીં તેને પુનઃ શા માટે મૂકવું જોઈએ ? વસ્તુતઃ કોઈપણ એક શબ્દ કે સૂત્રનો જ્યારે આપણે પુનઃ પ્રયોગ કરીએ છીએ ત્યારે પૂર્વના સંદર્ભ કરતાં પછીનો સંદર્ભ Jain Education international XV For Private & Personal Use Only WWW.Janerary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy