________________
શ્રમણો માટે પંચ મહાવ્રત અને શ્રાવકો માટે પાંચ અણુવ્રત મૂલગુણરૂપ છે. સાધુઓ માટે પિંડવિશુદ્ધિ આદિ અને શ્રાવકો માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત ઉત્તરગુણ રૂપ છે. મૂલગુણનું પ્રત્યાખ્યાન મોટેભાગે જીવનપર્યંતનું હોય છે. જ્યારે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી છે.
ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના બે પેટા પ્રકારો છેઃ ૧. સંકેત પ્રત્યાખ્યાન ૨. અહ્વા પ્રત્યાખ્યાન. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રત્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ પંચ મહાવ્રતો છે- જેને પ્રત્યાખ્યાન કહે છે. તેનું પાલન કરવાની યોગ્યતા આવે તે માટે જ અન્ય પ્રત્યાખ્યાનોની યોજના છે.
પ્રત્યાખ્યાનના પ્રવર્તમાનરૂપમાં સંકેત અને અદ્ધા પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રચાર છે. તેની યોજના જીવોના અલ્પ-બહુ સામર્થ્યને લક્ષમાં રાખી કરવામાં આવી છે. જે જીવોથી વધારે ન થઈ શકતું હોય તે પ્રથમ અંગુસહિયં-મુઃિ-સહિયં વગેરે સાંકેતિક પ્રત્યાખ્યાન લઈ શકે. તેની ધારણામાં - ‘હું જ્યાં સુધી અંગૂઠો, મુઠ્ઠી યા ગાંઠ ન ખોલું અથવા ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પસીનો સુકાઈ ન જાય ત્યાં સુધી, અમુક શ્વાસોચ્છવાસ પૂરા ન થાય, પાણીથી ભીની થયેલી ખાટલી સૂકાઈ ન જાય અથવા કોઈ વસ્તુમાંથી પાણી ટપકતું બંધ ન થાય, આ દીપક જલતો રહે ત્યાં સુધી વગેરે ત્યાં સુધી ભોજન કરીશ નહિ,... પારીશ નહિ... આ પ્રમાણે અંગૂઠો, મુઠ્ઠી, ગાંઠ, ધરપ્રવેશ, પ્રસ્વેદ, શ્વાસોચ્છ્વાસ, પાણીના ટીપાં, દીપક વગેરે સંકેતને ધ્યાનમાં રાખી કરેલા પ્રત્યાખ્યાનને સંકેત પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા યા સીમા બાંધી હોય તેને અદ્ધા પ્રત્યાખ્યાન કહે છે. તે દસ પ્રકારના છે. (૧) નવકારશી (૨) પોરિસી-સાઢુંપોરિસી (૩) પરિમુઠ્ઠ-અવઢ (૪) બિયાસણ-એકાસણ (૫) એકલઠાણ (૬) આયંબિલ (૭) ઉપવાસ (૮) દિવસચરિયું- ભવચરિય (૯) અભિગ્રહ અને (૧૦) નિષ્વિગઈ યા વિગઈ સંબંધી. જો કે એકાશનાદિમાં સ્પષ્ટ રીતે કાળની કોઈ મર્યાદા નથી. પરંતુ પૂર્વાચાર્યોએ તેની કાળ- મર્યાદા બાંધી છે અને તે પ્રત્યાખ્યાન અદ્ધા પ્રત્યાખ્યાન સાથે જ કરવામાં આવે છે.
....
આગારનું સ્વરૂપ :
પ્રત્યાખ્યાન આગાર સહિત કરવું જોઈએ, નહીંતર તેનો ભંગ થાય
Jain Education International
૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org