SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રણ-૮ છઠું અધ્યયન : પ્રત્યાખ્યાન પ્રાસ્તાવિક : આત્માને સંયમમાં કેમ લાવવો? એ એક કૂટ પ્રશ્ન છે. આત્માની તૃષ્ણા અનંત છે અને તેને પૂરી કરવા માટે તે અથાગ પ્રયત્ન કરે છે. તૃષ્ણા આકાશ જેવી અનંત હોવાથી તેને કોઈ છેડો જ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે – “જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી કરવા ધારેલું કાર્ય ક્રોડોથી પણ પૂરું ન થયું." આ પ્રકારની અનંત તૃષ્ણાઓ વિચાર કરવા માત્રથી તૂટતી નથી. તે માટે જ્ઞાન ઉપરાંત કુશલ ક્રિયાની પણ જરૂર છે. જેમ માર્ગને જાણનારો પુરુષ ગમનાદિ ચેષ્ટારહિત હોવાથી ઈષ્ટસ્થળે પહોંચી શકતો નથી અથવા ઈષ્ટ દિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ ઈચ્છિત બંદરે પહોંચાડતું નથી તેમ ચારિત્ર-સજ્જિયારહિત જ્ઞાન પણ મોક્ષરૂપ ઈચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે કુશલ ક્રિયા કઈ ? તેનો ઉત્તર એ છે કે જે ક્રિયાથી બૂરી આદતો અને સ્વચ્છંદી વર્તન દૂર થાય અને આત્મા વિરતિ, વ્રત, નિયમ અને સદાચારમાં આવે તે ક્રિયા કુશલ કહેવાય. તેનું ફળ મોક્ષ યા પરમ પદની પ્રાપ્તિ છે. આવી ક્રિયા એટલે પ્રત્યાખ્યાન. જ્યાં પ્રત્યાખ્યાન ન હોય ત્યાં કુશલક્રિયા સંભવતી નથી. - પ્રતિ + આ ખ્યાન આ ત્રણ શબ્દોથી પ્રત્યાખ્યાન શબ્દ નિર્મિત થયો છે. પ્રતિ - પ્રતિકૂળ પ્રવૃત્તિ, આ - મર્યાદાપૂર્વક, ખ્યાન - કથન કરવું. અનાદિ કાળથી વિભાવદશામાં રહેલા આત્માના સ્વભાવથી પ્રતિકૂળ મર્યાદાઓનો ત્યાગ કરીને અનુકૂળ મર્યાદાઓનો સ્વીકાર કરવો. આ પ્રત્યાખ્યાનને લોકભાષામાં પચ્ચકખાણ' કહે છે. પ્રત્યાખ્યાનના પર્યાય રૂપે નિયમ, અભિગ્રહ, વિરમણવ્રત, આસ્રવદ્વાર નિરોધ, નિવૃત્તિ, ગુણધારણા વગેરે શબ્દોનો પ્રયોગ જૈનશાસ્ત્રોમાં જોવા મળે છે. પ્રત્યાખ્યાનના ભેદો : પ્રત્યાખ્યાનના બે ભેદો છે. (૧) મૂલગુણરૂપ (૨) ઉત્તરગુણ રૂપ. ucation International FoxPrivate hause Only Jain Education International H૮૧) . FoxPrivate & Personal Use Only www.jainelibrary.org
SR No.004547
Book TitleShad Avashyak Ek Vaigyanik Vishleshan
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Popatlal Shah
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2004
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy