________________
પ્રથમ વર્ગ
पुद्गलानां परावर्ते-दुर्लभं जन्म मानुषम् ।। लब्ध्वा विवेकिना धर्मे विधेयः परमादरः ॥ ७ ॥
ભાવાર્થ–પુગળના પરાવતવડે એટલે અનંતકાળે પણ પામવો દુર્લભ એ મનુષ્યજન્મ પામીને વિવેકીજનેએ ધર્મને વિષે પરમ આદર કરવો જોઈએ. ૭.
धर्मः श्रुतोऽपि दृष्टोऽपि कृतोऽपि कारितोऽपि च । अनुमोदितोऽपि नियतं पुनात्यासप्तमं कुलम् ।। ८॥
ભાવાર્થ –ધર્મ સાંભળવાથી, દેખવાથી, કરવાથી, કરાવવાથી અને કરનારની અનુમોદના કરવાથી પણ નિચે પ્રાણીઓના સાતમા કુળ (સાત પેઢી) પર્યત પવિત્ર કરે છે. ૮.
विना त्रिवर्ग विफलं पुंसो जन्म पशोरिव । तत्र स्यादुत्तमो धर्म-स्तं विना न यतः परौ ॥४॥
ભાવાર્થ—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે, તેમાંથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને યથાયોગ્ય સેવ્યા વગર મનુષ્યનો જન્મ પશુની જેમ નકામે છે, તેમાં પણ ધર્મ એ ઉત્તમ છે કેમકે તેનું સેવન કયા વિના અર્થ અને કામ મળી શકતા જ નથી. ૯.
મનુષ્યત્વાદક સામગ્રીની દુર્લભતા. मानुष्यमार्यदेशश्च जातिः मर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथंचित्कमलाघवात् ॥१०॥
ભાવાર્થ –મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમજાતિ-કુળ, અખંડ સર્વ ઈદ્રિયોની કુશળતા, લાંબું આયુષ્ય એ કઈ પણ પ્રકારે કર્મની લઘુતાથી પ્રાપ્ત થાય છે. ૧૦.
प्राप्तेषु पुण्यतस्तेषु श्रद्धा भवति दुर्लभा । તત સગુણસંયોગો સભ્યને ગુરમીત ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org