SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રાવકજીવન ગુરુદેવે. જે પૂજા કરવાની છે તે તમારે પોતપોતાના સામર્થ્યને અનુરૂપ જ કરવાની છે. શક્તિ અનુસાર પૂજનસામગ્રી : તમારી આર્થિક સ્થિતિ અનુસાર તમારે મંદિરમાં ધૂપદીપ લઈ જવાનાં છે. અક્ષત, નૈવેદ્ય અને ફળ લઈ જવાનાં છે. સંધ્યાના સમયે આ પાંચ પ્રકારની જ પૂજા તમે કરી શકો છો. કોઈનું અનુકરણ કરવાનું નથી. તમે તમારી શક્તિઅનુસાર જ સામગ્રી લઈને જાઓ. એક મહાનુભાવને મેં પૂજા કરતાં જોયા. તેઓ ઘેરથી ધૂપ અને દીપ લાવ્યા ન હતા. ચોખા તૂટેલા હતા. ફળો સડેલાં હતાં અને નૈવેદ્ય પણ ખાવા યોગ્ય ન હતો. મેં એમને પૂછ્યું : ‘આવી તુચ્છ સામગ્રી કેમ લાવ્યા છો ?’ તેણે કહ્યું ઃ ‘મહારાજ સાહેબ, મારી પાડોશી ખૂબ શ્રીમંત છે. એ પણ આવી જ સામગ્રી લાવે છે.’ મેં કહ્યું : ‘તમે એનું અનુકરણ ન કરો. તમારી શક્તિ સારાં મીઠાં ફળ લાવવાની છે, અખંડ ચોખા લાવવાની છે, તો તમે એ બધું સારું જ લાવો. જેવું અર્પણ કરશો એવું પામશો. ખેડૂત ખેતરમાં સારું બીજ વાવે છે, તો સારી ફસલ પામે છે.’ તેને મારી વાત ગમી ગઈ. બીજા દિવસથી તે સારી પૂજાસામગ્રી લાવવા લાગ્યો. સામગ્રી સારી હશે તો ભાવ પણ સારા ઉત્પન્ન થશે. પરમાત્માને જેટલાં ઉત્તમ દ્રવ્યો અર્પણ કરશો તેટલાં ઉત્તમ દ્રવ્યોની પ્રાપ્તિ થશે. સભામાંથી : અમે લોકો એ સમજીને તુચ્છ સામગ્રી લઈ જઈએ છીએ કે ‘આ બધું તો પૂજારી લઈ જાય છે, ભગવાન તો ખાતા નથી.' મહારાજશ્રી ; ખૂબ સારી વાત કરી તમે. હું તમને પૂછું છું કે તમે પૂજા પરમાત્માની કરો છો કે પૂજારીની ? સમર્પણ કોને કરો છો ? પરમાત્માને યા પૂજારીને ? આ એક પ્રાચીન પરંપરા છે કે જે કંઈ ફળ-નૈવેદ્ય વગેરે પરમાત્માને સમર્પિત કરવામાં આવે તે પૂજારી લઈ જાય છે; તમારું લક્ષ્ય પૂજારી નહીં, પરમાત્મા રહેવા જોઈએ. દ્રવ્યપૂજા કર્યા પછી તમે ચૈત્યવંદન કરો. ચૈત્યવંદનનાં જે સૂત્રો છે, તે સૂત્રોના અર્થ તમને આવડતા હોવા જોઈએ. જો તમે સૂત્રોના અર્થ નહીં જાણતા હો તો સૂત્ર બોલતી વખતે તમારા હ્દયમાં શુભ ભાવ પેદા થશે નહીં, અને હૃદયમાં શુભ ભાવ પેદા કરવા માટે ચૈત્યવંદન ક૨વાનું છે. એક-એક સૂત્રના અર્થ જાણી લો. અથવા પ્રાકૃત-અર્ધમાગધી ભાષાનું અધ્યયન કરી લો. એ ભાષામાં ચૈત્યવંદનનાં સૂત્રો રચાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy