________________
ભાગ ૩
૯૧
સભામાંથી : સંધ્યાસમયે અમે લોકો વેપાર છોડીને, દુકાન છોડીને ઘેર જઈ નથી શકતા. ન તો શેઠ લોકો જઈ શકે છે, ન તો નોકર લોકો જઈ શકે છે. મહારાજશ્રી : પરંતુ જે દિવસે દુકાન બંધ રહે છે તે દિવસે સંધ્યાકાલીન ધર્મકૃત્ય કરી શકો છો ને ?
સભામાંથી : ના, એ દિવસે ટી.વી.ની સામે બેસી જઈએ છીએ. રવિવારના દિવસે ટી.વી. ઉપર પિક્ચર સાંજે જ આવે છે !
મહારાજશ્રી : તો પછી સંધ્યાકાલીન ધર્મ-આરાધના નથી કરતા ને ? અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં જ સંધ્યાનો પવિત્ર અને પ્રભાવક સમય ગુમાવી દો છો ? ધર્મપુરુષાર્થ કરવાની તમન્ના વગર તમે સંધ્યાકાલીન ધર્મ-આરાધના ન કરી શકો. ઠીક છે, મારે તો બતાવવી જ છે સંધ્યાકાલીન ધર્મ-આરાધના. તમે પુરુષો નહીં કરો, સ્ત્રીઓ, શ્રાવિકાઓ તો ક૨શે ને ?
સભામાંથી શ્રાવિકાઓ સાંજના ખરીદી કરવા જાય છે. સ્નેહી-સ્વજનોને ત્યાં જાય છે. કોઈ રસોઈ બનાવે છે, તો કોઈ ટી.વી. જુએ છે.
મહારાજશ્રી ઃ બધી સ્ત્રીઓ ખરીદી કરવા નહીં જતી હોય અને બધી જ સ્ત્રીઓ ટી.વી. જોતી નહીં હોય. જે મહિલાના હૃદયમાં સંધ્યાકાલીન ધર્મ-આરાધના કરવાનો ભાવ જાગશે તે અવશ્ય કરશે. એટલા માટે આજે મારે ત્રણ સંધ્યાકાલીન ધર્મ-આરાધના બતાવવી છે. જે ગ્રંથકાર તેમજ ટીકાકાર આચાર્યશ્રીએ બતાવી છે. એ સિવાય મારે પણ એક-બે ધર્મ-આરાધના બતાવવી છે કે જે આ આરાધનાઓ સાથે સંબંધ રાખે છે.
:
સંધ્યાકાલીન જિનપૂજા : ચૈત્યવંદના : પૂજા ત્રણ સંધ્યામાં ક૨વાનું વિધાન છે : પ્રાભાતિક સંધ્યામાં પૂજા કરવી. મધ્યાહ્નકાલીન સંધ્યામાં પૂજા કરવી. સાયંકાલીન સંધ્યામાં પૂજા કરવી.
પ્રભાતમાં તેમજ સાંજના પરમાત્માની ત્રણ પૂજા કરવાની નથી : જલપૂજા, ચંદનપૂજા અને પુષ્પપૂજા.
મધ્યાહ્નના સમયે બધી - આઠે પ્રકારની પૂજા કરવાની હોય છે; જ્યારે ભાવપૂજા, ચૈત્યવંદના ત્રણે સમયે કરવાની છે.
અહીં ગ્રંથકારે યથોચિત' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ ટીકાકાર આચાર્યદેવે ‘યથાસમયે’ કર્યો છે. ખૂબ સારો અર્થ છે. ખૂબ સારો અર્થ કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org