________________
પ્રવચન ઃ ૫૬
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મનું વર્ણન કરે છે. શ્રાવકધર્મમાં મનુષ્યની સ્થિરતા થાય એટલા માટે તેમણે પ્રતિદિન સત્પુરુષોનાં ચરિત્રા સાંભળવાનું કર્તવ્ય બતાવ્યું. થોડાંક વર્ષો પૂર્વે જ્યારે આપણા દેશમાં વિડિયો આવ્યો. ન હતો ત્યારે સાંજે બાળકોને એકઠાં કરીને ઘરનાં વૃદ્ધ દાદા-દાદી સારી વાર્તાઓ સંભળાવતાં હતાં. બાળકો ઉપર એની ગંભીર અસર પડતી હતી. એ રીતે સમાજમાં પોતપોતાના ધર્મ અનુસાર રાત્રિના સમયે કથાઓનું આયોજન થતું હતું. અનેક સ્ત્રીપુરુષો કથા સાંભળવા જતાં હતાં.
સાન્ધ્યવિધિનું પાલન ઃ
ગ્રંથકાર આચાર્યદેવે આગળ લખતાં કહ્યું છે
सान्ध्यविधिपालना ॥ ८१ ॥ |
यथोचितं तत्पतिपत्तिः ॥८२॥ पूजापुरस्सरं चैत्यादिवन्दनम् ॥८३॥
સૂર્યાસ્ત પછી અને રાત્રિના પ્રારંભને સંધ્યાસમય કહેવામાં આવે છે. સંધ્યાસમયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. જૈનધર્મમાં સંધ્યાસમયનું મહત્ત્વ છે. એમ તો વૈદિક ધર્મમાં પણ સંધ્યાસમયનું મહત્ત્વ છે. સંધ્યાના સમયે કંઈક વિશેષ ધર્મક્રિયાઓ કરવાનું વિધાન બંને ધર્મોમાં બતાવવામાં આવ્યું છે. આપણે ‘કાળ’ - ‘સમય’ નું પણ મહત્ત્વ માનીએ છીએ; અને માન્યતા નિરાધાર પણ નથી. આધાર છે અનુભવ. એ અનુભવો આધ્યાત્મિક હોય છે. એ અનુભવો હોય છે દૈવી. એટલા માટે શ્રદ્ધાથી સાન્ધ્યવિધિ કરતા રહેવાનો ગ્રંથકારે નિર્દેશ કર્યો છે.
આજકાલ મોટાં શહેરોમાં સંધ્યાસમય વેપારનો સમય થઈ ગયો છે. કારણ કે દેશકાળ જ બદલાઈ ગયો છે. સૂર્યાસ્ત થતા પહેલાં ભોજન કરી લેવાની વાત રહી નથી. થોડાક જ જૈનપરિવાર રાત્રિભોજનનો ત્યાગ કરનારાં રહ્યાં છે. સાંજના ચાર વાગ્યા પછી બજારમાં ભીડ વધારે હોય છે. રાત્રિના ૮-૯ વાગ્યા સુધી બજાર ખુલ્લું રહે છે. પછી ઘેર જઈને ભોજન કરે છે. હવે કહો, સંધ્યાકાલીન ધર્મ-આરાધના કેવી રીતે કરી શકો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org