________________
૮૮
શ્રાવકજીવન પૂછ્યું: “હે દેવાનુપ્રિય, અહીં “મહાસાર્થવાહ' આવ્યા હતા?”
સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, મહાસાર્થવાહ કોણ છે? ગોશાલક બોલ્યોઃ “સદ્દાલપુત્ર, મહાસાર્થવાહ ભગવાન મહાવીર છે.” સદ્દાલપુત્રે કહ્યું: “આપ એવું શા માટે કહો છો ?' ગોશાલકે પ્રત્યુત્તર આપ્યોઃ “હે દેવાનુપ્રિય, સંસારરૂપી અટવીમાં બચાવીને જીવોને માર્ગમાં રક્ષા કરતાં નિવણિરૂપી મહાનગરમાં પહોંચાડે છે એટલા માટે સદ્દાલપુત્ર, શ્રમણ ભગવાન મહાવીર “મહાસાર્થવાહ’ કહેવાય છે.”
સદાલપુત્ર ભગવાનની પ્રશંસા સાંભળીને પ્રસન્નચિત્ત બન્યો. ગોશાલકે પૂછ્યું : હે દેવાનુપ્રિય, અહીં મહાધર્મકથી આવ્યા હતા ?” સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, મહાધર્મકથી કોણ છે?
ગોશાલકે કહ્યું : “શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.” . સદ્દાલપુત્રે પૂછ્યું : “આપ શ્રમણ ભગવાન મહાવીરને મહાધર્મકથી શા માટે કહો છો ?'
ગોશાલકે પ્રત્યુત્તર આપ્યો: 'હે દેવાનુપ્રિય, આ વિરાટ સંસારમાં સન્માર્ગથી દૂર અને ઉન્માર્ગે ભટકાઈ જતા જીવોને - મિથ્યાત્વથી પરાભૂત જીવોને, કર્મના અંધકારમાં ડૂબી ગયેલા જીવોને ધમપદેશ આપીને ચાર ગતિરૂપી સંસારની અટવીમાંથી પોતાના હાથે પાર ઉતારે છે, એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.'
ગોશાલકના મુખે ભગવાનની પ્રશંસા સાંભળીને સદ્દાલપુત્ર પ્રસન્ન થઈ ગયો. ગોશાલકે ફરીથી પૂછ્યું: “હે દેવાનુપ્રિય, અહીં મહાનિયમિક આવ્યા હતા?”
સદાલપુત્રે પૂછ્યું: “મહાનિયમિક કોણ છે? ગોશાલકે કહ્યું: “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મહાનિયમિક છે.” સદ્દાલપુત્રે પૂછ્યું : હે દેવાનુપ્રિય, આપ કયાં કારણે આ કહી રહ્યા છો ?” ગોશાલકે કહ્યું: “હે સદાલપુત્ર, સંસાર મહાસાગર છે. સંસાર મહાસાગરમાં જીવોની ડૂબતી નૌકાને તેઓ બચાવીને નિવણિરૂપી તટ ઉપર પહોંચાડે છે. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર મહાનિયમિક છે.”
સદ્દાલપુત્રે કહ્યું: “હે દેવાનુપ્રિય, આપ નિપુણ છો, વિજ્ઞાન પ્રાપ્ત છો, આપની પાસે લબ્ધિ છે, તો શું આપ અમારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવા માટે સમર્થ છો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org