SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૮૭ પ્રવ્રજિત થવામાં સમર્થ નથી. પરંતુ હું બાર વ્રતો અંગીકાર કરવા ઇચ્છા રાખું છું.' તેણે શ્રાવકજીવનનાં બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને તે પાછી ચાલી ગઈ. થોડાક દિવસો પછી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. તેઓ પોલાસપુરથી ચાલ્યા ગયા. સદાલપુત્રે જ્યાં સુધી ભગવાન મહાવીર પોલાસપુરમાં રહ્યા ત્યાં સુધી તેમનો ધર્મોપદેશ પ્રતિદિન સાંભળ્યો. અગ્નિમિત્રા પણ સાંભળતી હતી. ભગવાનના ત્યાંથી ચાલ્યા ગયા પછી પણ તે જીવ, અજીવ આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરતો ૨હ્યો. મંખલિપુત્ર ગોશાલકે આ વાત સાંભળી કે “પોલાસપુરમાં સદાલપુત્રે એનો મત ત્યજી દીધો છે, તે ભગવાન મહાવીરનો શ્રમણોપાસક બની ગયો છે.” ગોશાલક ચિંતામાં પડી ગયો. તે તરત જ પોલાસપુર પહોંચ્યો અને પોતાની આજીવક મતની ધર્મસભામાં ઊતયોં. કેટલાક શિષ્યોની સાથે તે સદાલપુત્રને ઘેર પહોંચ્યો. એને ત્યાં આદરસત્કાર ન મળ્યાં. તે ઊભો રહ્યો. તેણે સદાલપુત્રને પૂછ્યું : હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ આવ્યા હતા ?' સદાલપુત્રે પૂછ્યું: “દેવાનુપ્રિય, ‘મહામાહણ' કોણ છે ?” ‘શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.' ગોશાલકે કહ્યું. હે દેવાનુપ્રિય, આપ એવું શા માટે કહો છો ?' સદ્દાલપુત્રે પૂછ્યું. હે સદાલપુત્ર, સાચે જ ભગવાન મહાવીર મહામાહણ છે. તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેઓ સ્તુતિ કરવા યોગ્ય છે તેમજ દેવ-દાનવ અને માનવોથી પૂજિત છે. એટલા માટે હે દેવાનુપ્રિય, શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.' સદ્દાલપુત્ર ગોશાલકની સામે આશ્ચર્યપૂર્વક જોતો રહ્યો. ગોશાલકે ફરીથી પૂછ્યું “હે દેવાનુપ્રિય, અહીં મહાગોપ” આવ્યા હતા ?” સદ્દાલપુત્રે પૂછ્યું: “મહાગોપ કોણ છે ?” ગોશાલકે કહ્યું : “શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે.” સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, કયાં કારણે તેઓ ‘મહાગોપ' કહેવાય છે?” ગોશાલકે જવાબ આપ્યો “આ સંસાર ભયાનક જંગલ છે. અહીં જીવ નષ્ટવિનષ્ટ થઈ જાય છે. પશુઓના ભક્ષ્ય બને છે. તેમનું છેદન કરવામાં આવે છે. ભેદન કરવામાં આવે છે, ત્યાં ભગવાન ધર્મદંડથી એ જીવોનું સંરક્ષણ કરે છે, બચાવે છે અને નિવણના વાડામાં પહોંચાડે છે, એ કારણે સદાલપુત્ર, શ્રમણ ભગવાન મહાગોપ કહેવાય છે.' ગોશાલકની વાત સાંભળીને સદાલપુત્રનું ચિત્ત પ્રસન્ન થયું. પછી ગોશાલકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy