SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૮૬ ભગવાને એની વાતનો સ્વીકાર કર્યો અને ત્યાં નિવાસ કર્યો. એક દિવસની વાત છે. સદ્દાલપુત્ર માટીનાં પાત્રોને અંદરથી કાઢીને તડકે સૂકવવા મૂકતો હતો. એ સમયે ભગવાને પૂછ્યું: “હે સદાલપુત્ર, આ માટીનાં પાત્રો કેવી રીતે બન્યાં?” “ભગવંત, પહેલાં આ માટી હતી. તેને પાણીમાં પલાડવામાં આવી. પછી તેમાં રાખ અને છાણ મેળવવામાં આવ્યાં. પછી તેને ચાકડા ઉપર ચડાવી અને આકાર આપવામાં આવ્યો. પછી આ વાસણ બન્યું. મહાનુભાવ, આ પાત્ર પુરુષાર્થથી બન્યું કે પુરુષાર્થ વગર?” ભગવનું, વગર પુરુષાર્થે બન્યું, કારણ કે જે કંઈ છે તે નિયત છે.' ભગવાને કહ્યું: ‘મહાનુભાવ, જો કોઈ વ્યક્તિ, તારાં આ માટીનાં વાસણો ચોરી લે, અહીંતહીં ફેંકી દે અથવા ફોડી નાખે યા તારી પત્ની અગ્નિમિત્રાને ઉપાડીને લઈ જાય અને બળાત્કાર કરે, તેની સાથે વ્યભિચાર કરે, તો તું એ વ્યક્તિને દંડ દઈશ ?' જરૂર, હું એ દુષ્ટ પુરુષ ઉપર આક્રોશ કરીશ, તેને બાંધીશ અને તેને મારીશ, કૂટીશ અને છેવટે મારી નાખીશ.” ભગવાને કહ્યું: ‘સદાલપુત્ર, સર્વ નિયત છે તો પછી એ પુરુષને સજા શા માટે આપવી જોઈએ? જે નિયત હતું તે તેણે કર્યું. તેણે પુરુષાર્થ તો કર્યો નથી તારા મત મુજબ ! પરંતુ તું સજા કરે છે, કારણ કે તેણે ખોટો પરષાર્થ કર્યો છે ચોરી અને બળાત્કારનો. યા તો તારી નિયતિ ખોટી છે અથવા સજા કરવી ખોટી છે. બળાત્કાર કરનારો તને કહેશે : “મેં જે કર્યું એ નિયત હતું, એટલા માટે મેં કર્યું.’ શું તું એની વાત સાચી માનીશ? ભગવાન મહાવીરની વાત સદ્દાલપુત્રના મનમાં ઊતરી ગઈ. તેણે ભગવાનને વંદન, નમસ્કાર કર્યો અને કહ્યું : “ભગવનું, હું આપની પાસે શ્રમણોપાસક ધર્મ સ્વીકારવા ઈચ્છા રાખું છું.” ભગવાને સમકિત સાથે તેને બાર વ્રતો સમજાવ્યાં. સદાલપુત્રે એ વ્રતોનો સ્વીકાર કર્યો અને ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને તે પોતાને ઘેર પહોંચ્યો. પોતાની પત્ની અગ્નિમિત્રાને કહેવા લાગ્યોઃ દેવી, અહીં સહસ્સામ્રવનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાય છે. તું એમની પાસે જા અને બાર વ્રત સ્વીકાર કર.” અગ્નિમિત્રાએ કોઈ તર્કવિતર્ક વગર પતિની વાત માની લીધી. વિશાળ સ્વજન પરિવાર સાથે, ઉત્તમ શિબિકામાં બેસીને તે ભગવાન મહાવીર પાસે જાય છે અને વંદન-નમસ્કાર કરીને ઊભી રહે છે. ભગવાને વિશાળ પર્ષદાની સામે ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને અગ્નિમિત્રા સંતુષ્ટ થઈ તેણે ભગવાનને કહ્યું: “હે ભગવંત, હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy