SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન સાંભળવામાં સામાન્ય લોકોની રસવૃત્તિ વધે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં મને ‘ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર ઉત્તમ ગ્રંથ લાગ્યો છે. આમ તો બીજા પણ ચરિત્રગ્રંથો છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં કેટલાય ચરિત્રગ્રંથોના અનુવાદો થયા છે. તમે લોકો એ ગ્રંથોનો ઉપયોગ કરો. લક્ષ્ય ન ભૂલો. તમારે ગુણપ્રાપ્તિ કરવી છે. દોષક્ષય કરવો છે. જીવનને દોષમુક્ત કરવું છે. ગુણથી ભર્યુંભર્યું કરવું છે, કારણ કે તમારી શાંતિ અને પ્રસન્નતાનો આધાર આ તમામ ગુણો છે. દોષોને કારણે જ અશાંતિ, ફ્લેષ તેમજ સંતાપ થાય છે. દોષોમાં મુખ્ય છે - ક્રોધ, અભિમાન, માયા અને લોભ. આ ચારે દોષોને જીવનમાંથી તગેડી મૂકશો, તો બીજા અનેક દોષો ચાલ્યા જશે. “મારે દોષમુક્ત બનવું છે. આ તમારો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. ભગવાન મહાવીરનો એક શ્રાવક – સદાલપુત્ર : પોલાસપુર નામના એક નગરમાં સદ્દાલપુત્ર નામનો એક શ્રીમંત કુંભાર રહેતો હતો. તેની પાસે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. દશ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ હતું અગ્નિમિત્રા. સદ્દાલપુત્ર ગોશાલકના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતો હતો. તે શ્રવણધર્મમાં અભિરુચિ ધરાવતો હતો. અર્થગ્રહણ કરવામાં ખૂબ વિચક્ષણ હતો. ગોશાલક ભગવાન મહાવીરનો શિષ્ય હતો, પરંતુ પાછળથી ભગવાનથી વિરુદ્ધ થઈ ગયો હતો અને પોતાના નિયતિવાદનો પ્રચાર કરતો હતો. અષ્ટાંગ નિમિત્તનો પારગામી હોવાથી લોકોને ભવિષ્યકથન કહીને પ્રભાવિત કરતો હતો. એના લાખો અનુયાયી બની ગયા હતા. ગોશાલકે સદ્દાલપુત્રને સમજાવી દીધું હતું કે “હે મહાનુભાવ, મારો નિયતિવાદ જ અર્થરૂપ છે, પરમાર્થરૂપ છે; બાકીના બધા સિદ્ધાંતો અનર્થરૂપ છે.” તેણે ગોશાલકના સિદ્ધાંતને માની લીધો હતો. એક દિવસે મધ્યાહ્ન સમયે સદ્દાલપુત્ર પોતાના અશોકવનમાં બેઠા હતા, ત્યાં શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલો એક દેવ પ્રકટ થયો. આકાશમાં જ સ્થિર થઈને દેવે સદાલપુત્રને કહ્યું: “હે સદાલપુત્ર, આ નગરમાં સહસ્રઆમ્રવનમાં એક મહામાહણ પધારશે. તેઓ પૂર્ણ જ્ઞાની અને અનંતદર્શની છે. અતીત-વર્તમાન અને અનાગતના. જ્ઞાતા છે, તેઓ અરિહંત છે, જિન છે, સર્વજ્ઞ-સર્વદર્શી છે. ત્રણે લોકોને પૂજનીય છે. તેઓ દેવ-મનુષ્ય, અસુર આદિ સર્વેના માટે અર્ચનીય અને વંદનીય છે. તેઓ સત્કાર કરવા યોગ્ય છે, સન્માન-યોગ્ય છે. ઉપાસવા યોગ્ય છે. એટલા માટે તારે એમની પાસે જવું, વંદન કરવાં તેમજ ઉપાસના કરવી. એમને વસતિ આપવી. સંસ્તારક આપવું. જે કંઈ તારી પાસે લાકડાના પીઠ, ફલક વગેરે હોય તે સ્વીકારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy