________________
ભાગ ૩
૮૩
જે માતા હતાં તેમણે વિચાર્યું કે ‘મારામાં ગંભીરતા નથી, હું ઘરની વાતો બહાર કહી દઉં છું. મારે ગંભીર બનવું જોઈએ. પરિવારના સભ્યોની નિંદા મારે બીજાંની આગળ ન કરવી જોઈએ.' તે સ્ત્રી ગંભીર બની.
જે પુત્રવધૂ હતી તેણે વિચાર્યું : 'હું નાની નાની તકલીફોની ફરિયાદ કરતી રહું છું તે બરાબર નથી. મારે થોડુંક સહન કરવું જોઈએ. હું બીજાંનો અપ્રિય વ્યવહાર સહન કરીશ.' તે સહનશીલ બની.
બે ભાઈ અને એક બહેન પરસ્પર લડતાં-ઝઘડતાં હતાં, તેમને પોતાની ભૂલ સમજાઈ અને પ્રેમ વધ્યો. આ રીતે આ પરિવારે નવજીવન મેળવ્યું. તેમના જીવનનો
અભિગમ જ બદલાઈ ગયો.
ધર્મકથા દરરોજ સાંભળો :
ગુણપ્રાપ્તિ માટે અને પ્રાપ્ત ગુણોની રક્ષા માટે સુંદર અને શ્રેષ્ઠ ઉપાય છે - પ્રતિદિન ધર્મકથા સાંભળતા રહો.
* એકાગ્રતાથી સાંભળો.
* નિયમિત સાંભળો.
* ભક્તિભાવથી સાંભળો.
સભામાંથી : દ૨૨ોજ ધર્મકથા સંભળાવનાર સાધુપુરુષ મળવા જોઈએ ને ?
મહારાજશ્રી : જ્યારે સાધુપુરુષ તમારા ગામમાં - નગરમાં આવે ત્યારે તેમની પાસેથી ધર્મકથા સાંભળો અને જ્યારે સાધુપુરુષ ન હોય ત્યારે બધાં મળીને ઘરમાં ‘સામયિક’ કરો અને સામયિકમાં એક વ્યક્તિ ધર્મકથાનું પુસ્તક વાંચે અને બીજાં સાંભળે. એક સમય નિશ્ચિત કરી લો સામયિકનો. ૪૮ મિનિટનું સામયિક હોય છે. ધર્મકથા વાંચવામાં-સાંભળવામાં સમય જલદી પસાર થઈ જશે ! ધર્મકથાઓની સારી સારી ચોપડીઓ મળે છે. જ્ઞાનભંડારોમાં અને લાઇબ્રેરીઓમાં પણ ચોપડીઓ મળે છે. ચોપડીઓની પસંદગી કોઈ મુનિરાજની સલાહ લઈને કરવી. પુસ્તક વાંચનારે એવી રીતે પુસ્તક વાંચવું કે જેથી સાંભળનારાં કંટાળી ન જાય, અને બેઠાં બેઠાં ઊંઘવા ન માંડે. વાંચવાની પણ એક કલા હોય છે. ઘરઘરમાં સામુદાયિક સામયિક શરૂ કરો. પછી મહોલ્લામાં, શેરીના જિજ્ઞાસુ ભાઈબહેનોને પ્રેરણા આપો. તેમને પણ સામાયિકમાં સામેલ કરો. કોઈ વા૨ દિવસે સમય ન મળે તો રાત્રે સામયિક કર્યા વગર બધા મળી શકો છો અને પુસ્તક વાંચન કરી શકો છો. આ પણ એક પ્રકારનું ‘શ્રુત સામયિક' જ કહેવાય.
આ પ્રકારના વાંચનમાં ચરિત્રગ્રંથો વધારે ઉપયોગી રહે છે. ચરિત્રગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org