________________
શ્રાવકજીવન મહારાજશ્રી : શ્રાવકોએ એવાં સ્થળે, એવા ગામમાં રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર હોય, સાધુપુરુષોનું જ્યાં આવાગમન રહેતું હોય. પરંતુ તમે તો ત્યાં જ રહેવાનું પસંદ કરો છો કે જ્યાં સારો વેપાર ચાલતો હોય, જ્યાં વધારેમાં વધારે રૂપિયા કમાઈ શકાતા હોય! મુખ્ય પ્રયોજન અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ બની ગયું છે! ધર્મપુરુષાર્થ ગૌણ કરી દેવામાં આવ્યો છે, અને એથી જ જીવન દોષભરપૂર બની ગયું છે. ગુણ એક-બે જ રહી ગયા છે. ગુણપ્રાપ્તિનું લક્ષ્ય પણ રહ્યું નથી તેમજ દોષાયનું ધ્યેય પણ રહ્યું નથી. ગુણપ્રાપ્તિનું લક્ષ્ય બનાવો :
સપુરુષોનાં ચરિત્રો સાંભળવાથી ક્ષમા, નમ્રતા, નિર્લોભતા આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. પરંતુ તમારું લક્ષ્ય ગુણપ્રાપ્તિનું હોવું જોઈએ. લક્ષ્ય હશે તો ગુણપ્રાપ્તિ અવશ્ય થશે. ગુણોથી જ જીવન શાન્તિમય અને ઉલ્લાસમય બની શકે છે. એક મારો પરિચિત શ્રીમંત પરિવાર છે. રહેવા માટે મોટું ઘર છે. ત્રણ-ચાર લાખ રૂપિયાનું ફર્નિચર હશે. સર્વ પ્રકારની આધુનિક સુવિધાઓ છે, પત્ની છે, બે પુત્રો છે અને એક પુત્રી છે. આવક સારી છે, પરંતુ એ પરિવાર ગૃહકલેશમાં દુઃખી હતો. એકબીજા પ્રત્યે ફરિયાદો હતી. એકબીજાની સાથે કોઈ પ્રેમથી વાત કરતું ન હતું. પરસ્પરનો વ્યવહાર સારો ન હતો. એક દિવસ પરિવાર વંદન કરવા મારી પાસે આવ્યો. પરિવારની મુખ્ય શ્રાવિકાએ જ વાતનો પ્રારંભ કર્યો. પાછળથી પુરુષે પણ જે કહેવાનું હતું તે કહ્યું. છોકરાએ પણ પોતાની વાત કહી. મેં સૌને સાંભળ્યાં અને પછી મેં કહ્યું :
તમે લોકો મારી એક વાત માનશો? બધાએ કહ્યું: “માનીશું.' મેં કહ્યું: ‘તો તમે બધાં દરરોજ પ્રવચન સાંભળવા આવતા રહો. તમારી પાસે ગાડી છે. આવવાની સુવિધા છે. એક કલાક પ્રવચન સાંભળ્યા કરો.” તેમણે કબૂલ કર્યું. એ સમયે પ્રવચનો ગુણોની પ્રાપ્તિ અંગેનાં જ ચાલતાં હતાં. પ્રવચનોમાં મેં પારિવારિક જીવનમાં ચાર ગુણોનું કેટલું મહત્ત્વ છે તે બતાવ્યું.
* પ્રથમ ગુણ બતાવ્યો ઉદારતાનો. * બીજો ગુણ બતાવ્યો ગંભીરતાનો. * ત્રીજો ગુણ બતાવ્યો સહનશીલતાનો અને * ચોથો ગુણ બતાવ્યો પરસ્પર પ્રેમનો.
એ પરિવારમાં પિતા હતા, તેમને ખાતરી થઈ કે “મારામાં ઉદારતા નથી. મારે ઉદાર બનવું જોઈએ.” તેઓ ઉદાર બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org