________________
૮૦
શ્રાવકજીવન
સચ્ચરિત્રોનો પ્રભાવ :
સાધુજીવનમાં પુરુષોનાં ચરિત્રો સાંભળવાનો અવસર ઓછો મળ્યો, પરંતુ સંભળાવવાનો અવસર વધારે મળ્યો! રામાયણ વગેરેના કથાપ્રસંગોના માધ્યમથી મેં હજારો ચરિત્રો સંભળાવ્યાં છે. જ્યાં ગ્રામીણ શ્રોતાવર્ગ હોય છે ત્યાં પ્રવચન કથામય બની જાય છે. ત્યાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ઘણી ઓછી થાય છે. ચરિત્ર-કથનના માધ્યમથી જ લોકો તત્ત્વામૃતનું પાન કરે છે.
મેં મોટાં શહેરોમાં પણ કથામય પ્રવચનો આપ્યાં છે. બબ્બે કલાક સુધી બબ્બે હજાર શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળતાં રહેતા હતા! ચરિત્રના ગંગાપ્રવાહમાં તણાતાં હતાં. મન ઉપર ગહન પ્રભાવ લઈને પોતાને ઘેર જતા હતા. પાછળથી બપોરે આવીને તેઓ કહેતાં: “આજે મહાસતી અંજનાસુંદરીનું ચરિત્ર સાંભળીને આંખ ખૂલી ગઈ. સામાન્ય દુષ્પવૃત્તિનું કેવું કરુણ પરિણામ આવે છે ? અંજનાસુંદરીની કેવી અદ્ભુત સહનશીલતા ! આજે તો પ્રવચન સાંભળતાં સાંભળતાં આંખો ટપકવા લાગી હતી....' વગેરે.
એક નગરમાં ભગવાન મહાવીરની બાર વર્ષની કષ્ટમય સાધના સાંભળીને એક અજેન ગૃહસ્થ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત બની ગયા. પ્રવચન પૂર્ણ થયા પછી તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા :
“મહારાજ સાહેબ! આજ દિન સુધી હું જાણતો હતો કે સર્વ ભગવંતોમાં ઈસુએ જ ક્રોસ ઉપર ચડવાનું કષ્ટ ભોગવ્યું છે, બાકીના ભગવાનોએ કષ્ટ સહન કય નથી; પરંતુ આજે ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામીએ બાર વર્ષથી ય વધારે સમય મરણાંત કો સહન કર્યા હતાં. આજે મારા શ્રદ્ધેય અને પૂજનીય બની ગયા ભગવાન મહાવીર સ્વામી! દુનિયા જાણતી જ નથી મહાવીર ભગવાનની કષ્ટમય દીર્ઘકાલીન સાધનાને !' પુરુષોનાં ચરિત્ર શ્રવણ કરવાના આવા લાભો અનેક જીવોને થાય છે.
એક નગરમાં અમારું ચાતુમસ હતું. કૃષ્ણાષ્ટમીનો દિવસ હતો. બ્રાહ્મણ સમાજ તરફથી પ્રવચન હતું. એ પ્રવચનમાં મેં શ્રીકૃષ્ણનું જ ચરિત્ર સંભળાવ્યું. ભગવાન નેમિનાથ સાથે શ્રીકષ્ણનો સંબંધ બતાવ્યો - ગહન પ્રેમ બતાવ્યો. અને કહ્યું : શ્રીકષ્ણ તો ભવિષ્યમાં અમારા તીર્થંકર થવાના છે' ત્યારે બધા બ્રાહ્મણો એકબીજાનાં મુખ જોવા લાગ્યા !
પ્રવચન પૂર્ણ થયા પછી ચાર વિદ્વાન બ્રાહ્મણો મારી પાસે આવ્યા અને બોલ્યા ? અમે તો સાંભળ્યું હતું કે જૈનધર્મવાળા “કૃષ્ણ તો નરકમાં ગયા.' એવું માને છે, જ્યારે તમે તો કહ્યું કે “શ્રીકૃષ્ણ તીર્થંકર થવાના છે.' કહ્યુંઃ બંને વાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org