________________
(પ્રવચન : પપ)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ઉધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવન વિશે સારું માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે શ્રાવકની ખૂબ સુંદર દિનચય બતાવી છે. સાથે સાથે ભાવાત્મક ધર્મ અંગે પણ લખ્યું છે. ભાવાત્મક ધર્મનો સંબંધ હૃયની સાથે હોય છે. દયને સુધારવા માટે એમણે શુભ ચિંતનસ્વરૂપ ભાવનાઓનો નિર્દેશ કર્યો છે. શુભ ભાવનાઓનો પ્રકર્ષ પામવા માટે પ્રેરણા આપી છે.
પરંતુ દયગત શુભ ભાવનાઓ કેટલાંક નિમિત્તો પર નિર્ભર રહે છે. એવાં અનેક નિમિત્ત હોય છે, એમાંથી એક નિમિત્તનો ગ્રંથકારે અહીં ઉલ્લેખ કર્યો છે :
शिष्टचरित्रश्रवणम् ।।८।। શિષ્ટ પુરુષોનાં ચરિત્ર સાંભળતા રહો. જે શાસ્ત્રપ્રસિદ્ધ અને ઇતિહાસપ્રસિદ્ધ સપુરુષ અને મહાસતીઓ છે, તેમનાં પ્રેરણાદાયી જીવનચરિત્રો સાંભળવાં જોઈએ. પૂજ્ય પુરુષોના મુખેથી સાંભળવાં જોઈએ. એવા પુરુષોનો સમાગમ ન હોય, તો એવાં ચરિત્રો વાંચવાં જોઈએ. શ્રવણનો આનંદ અદ્ભુત હોય છે?
અહીં ગ્રંથકારે પુરુષોનાં જીવનચરિત્રો સાંભળવાનું કહ્યું છે. સંભળાવનાર જો સંભળાવવાની કળામાં પારંગત હોય, તો સાંભળવામાં ખૂબ મજા આવે છે. ત્રણત્રણ કલાક સાંભળતા રહો, છતાં પણ ભૂખ-તરસ સતાવતી નથી. મેં બાળપણમાં આવી કથાઓ સાંભળી હતી. મને સાંભળવામાં ખૂબ મજા પડતી હતી. રાતના સમયે બાર વાગ્યા સુધી સાંભળતો રહેતો હતો. એવી સારી કથાઓ સંભળાવનાર એવી રસપૂર્ણ શૈલીથી સંભળાવતા હતા કે થોડીક પણ આળસ આવતી ન હતી. એવું લાગતું હતું કે બસ, સાંભળ્યા જ કરીએ. રાતભર સંભળાવ્યા કરે અને આપણે સાંભળતા રહીએ. એનો ગહન પ્રભાવ પણ મન ઉપર પડતો હતો. એ મહાપુરુષો જેવાં સત્કાર્યો કરવાની કલ્પનાઓ મન કરતું રહેતું હતું.
પરંતુ જ્યારે મોટા થયા, નાનું ગામ છૂટી ગયું અને મોટાં શહેરમાં આવી ગયા. નવું વાતાવરણ મળ્યું, ખરાબ નિમિત્તો મળવા લાગ્યાં, સત્વરુષોનો સંગ ન રહ્યો. સપુરુષોની કથાઓનું શ્રવણ છૂટી ગયું, જીવનમાં કેટલાક દોષો પ્રવેશી ગયા. જો કે આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ન ટકી, પુનઃ સત્પરુષોનો પરિચય થયો, પુનઃ ધર્મશ્રવણ મળ્યું અને જીવન ધર્મમય બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org