SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રાવકજીવન આપણી વાત ભાવના વિશે ચાલી રહી છે. ‘કોઈ પણ જીવ પાપ ન કરે.' કારણ કે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં પાપનાં ફળ જોઈ શકાય છે. ઘોર ભયાનક દુઃખો દેખાય છે. જાગ્રત જીવ નથી ઇચ્છતો કે કોઈ દુઃખી થાય. એ જાણે છે કે પાપોથી જ દુઃખ આવે છે. એથી એવી ભાવના ભાવે છે. કરુણા, ભાવકરુણા જ એવી ભાવના ભાવવા મનુષ્યને પ્રેરિત કરે છે. કા૨ણ કે તે કોઈ પણ જીવનું દુઃખ જોઈને સ્વયં દુઃખી થઈ જાય છે. એના હ્રદયમાં ક્ષુબ્ધતા છવાઈ જાય છે. શું કરે એ ? જો એનું ચાલે તો એ કોઈ જીવને પાપ ન કરવા દે. પરંતુ એવી શક્તિ કોઈ પણ જીવમાં હોતી નથી. ઉત્કૃષ્ટ પુણ્યબળવાળા તીર્થંકર પરમાત્મા પણ સર્વ જીવોને પાપ કરતાં રોકી શકતા નથી, તો પછી આપણા જેવા ક્ષુદ્ર જીવોમાં આવી શક્તિ ક્યાંથી આવી શકે ? જે સમયે ભગવાન મહાવીર રાજગૃહીમાં બિરાજતા હતા ત્યારે રાજગૃહીમાં ‘કાલસૌરિક’ નામનો કસાઈ રોજના ૫૦૦ પાડા મારતો હતો. એ નગરનો રાજા હતો શ્રેણિક. ભગવાને શ્રેણિકના મનનું સમાધાન કરવાના હેતુથી કહ્યું : ‘શ્રેણિક, કાલે તું કાલસૌરિક કસાઈને હિંસા કરતો રોકી દે.' ભગવાન જાણતા હતા કે આ કાર્ય મુશ્કેલ નહીં, અસંભવ છે અને શ્રેણિકને નરકમાં જવું નિશ્ચિત છે. શ્રેણિકે નરકગતિનું આયુષ્ય બાંધી લીધું હતું. શ્રેણિકને કહી પણ દીધું હતું. શ્રેણિકે ભગવંતને કહ્યું : ‘ભગવંત, હું આપનો સેવક છું. મારે નરકમાં જવું પડશે ?’ શ્રેણિકના મનનું સમાધાન કરવા ભગવાને એણે કહ્યું હતું : ‘તું કાલસૌકરિક કસાઈની હિંસા રોકી દે, તો તારે નરકમાં નહીં જવું પડે.’ શ્રેણિકે એ કસાઈને નગરના કૂવામાં ઊતારી દીધો, દોરડે બાંધીને ! કૂવામાં એ કેવી રીતે હિંસા કરી શકે ? પરંતુ ભગવાને બતાવ્યું કે કલ્પનાથી કૂવાની ભીંત ઉપ૨ પાડાનાં ચિત્રો બનાવીને મારતો હતો. ૫૦૦ વા૨ પાડાનાં ચિત્રો બનાવીને હાથથી મારતો ગયો, ત્યારે જ શ્રેણિકના મનનું સમાધાન થયું. જેને પાપ કરવાં જ છે તે શરીરથી પાપ નથી કરી શકતો, તો મનથી કરે છે ! મનની કલ્પનાઓથી તે અનેક પાપો કરે છે. છતાં પણ આપણે તો ભાવના એવી રાખીએ કે ‘કોઈ જીવ પાપ ન કરે.’ આ ભાવનાથી બીજાંને તો લાભ થતાં થશે, પરંતુ તમને સ્વયંને તો લાભ થશે જ ! તમારામાં પાપોથી બચવાની શક્તિ પ્રકટ થશે. સંભવ છે કે તમે પાપોથી બચી જાઓ. જો પાપોથી બચવાની ભાવના હોય, તો આ ભાવના સેવતા રહો. ભાવનાથી ભવનાશ ભાવના મનનો વિષય છે. ભાવના જેટલી તીવ્ર, પ્રબળ હશે, તેટલો જ એનો પ્રભાવ પણ પ્રબળ પડશે. ઘોર પાપી જીવ પણ ભાવનાઓને સહારે, પૂર્ણ જ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy