________________
ભાગ ૩
છું.' તેઓ ગુરુદેવની પાસે ગયા અને અશુભ સંકલ્પનું પ્રાયશ્ચિત્ત કર્યું. કોઈ પાપ ન કરો ઃ
ભાવના વગર વિદ્વાન પણ ભૂલા પડી જાય છે. ભાવના વગર મોટા તપસ્વી પણ ભૂલા પડી જાય છે. ગ્રંથકારે ‘સમરાદિત્ય મહાકથા' લખી માત્ર બે શ્લોકો ૫૨ ! ખૂબ વિશાળ નવ જન્મોની મહાકથા લખી. એ મહાકથામાં પ્રથમ ભવમાં જ અગ્નિશર્માની તપશ્ચર્યા બતાવી છે. એણે માસખમણના પારણે માસખમણ કર્યાં. લાખો માસખમણ કર્યાં. એ સંન્યાસી બની ગયો હતો. આશ્રમમાં રહેતો હતો. છતાં પણ રાજા ગુણસેન પ્રત્યે એના હૃદયમાં તીવ્ર વેરભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. કા૨ણ કે તેની પાસે ભાવનાઓનું - શુભ ભાવનાઓનું અમૃત ન હતું. ‘અરિહંત’ વાંચનારાઓએ એ વાર્તા વાંચી હશે. તપસ્વી-સંન્યાસી સંસારમાં ભટકી જાય છે.
૭૫
અગ્નિશમાં તાપસ બનીને તપ કરતો હતો. પરંતુ એ ભાવના એના હૃદયમાં ન હતી કે ‘કોઈ જીવ પાપ ન કરે.' તેણે જનમોજનમ રાજા ગુણસેનને મારવાનો ક્રૂર સંકલ્પ કર્યો હતો. ખૂબ મોટું પાપ કર્યું હતું. સંન્યાસી બનીને આ પાપસંકલ્પ કર્યો હતો. મનનાં પાપ ભયાનક હોય છે. ત્યાં રોકનારું કોઈ હોતું નથી. જીવ જાતે જ ઉમ્બુદ્ધ થાય, તો જ પાપોથી બચી શકે છે.
અહીં ગ્રંથકારે આ ભાવના બતાવી છે કે મા ઋશ્વિત્ પાપમાચરેત્ । કોઈ પાપ ન કરો. કારણ કે તેઓ પાપના કટુ વિપાકોને જાણતા હતા. સંસારમાં જેટલાં પણ દુઃખો છે, તે સર્વે પાપોનાં ફળ સ્વરૂપે છે. 'પાપાત્ દુઃલમ્' દુઃખ પાપોથી જ આવે છે. પાપનું ફળ દુઃખ છે. જીવ પાપ ન કરે તો જ સુખી બની શકે છે. આ ભવ્ય ભાવનામાં માનનાર મનુષ્ય પાપોથી દૂર રહેવું જોઈએ. પાપ અનેક પ્રકારના હોય છે ઃ
હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર-વ્યભિચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, રાગ, કલહ, મિથ્યાત્વ આદિ અનેક પાપ હોય છે. પાપોની ઓળખાણ થવી અતિ આવશ્યક છે. પાપોની ઓળખાણ હશે તો જ તમે પાપોથી બચી શકશો.
કેટલાંક વર્ષો પૂર્વે ગુજરાતની એક યુનિવર્સિટીમાં મારું પ્રવચન હતું. પ્રવચનમાં મેં પાપ અને પુણ્યની વાત કરી હતી. પ્રવચન પછી ત્યાં નજીકના જ રામકૃષ્ણ મિશનના મકાનમાં રોકાયા હતા. કોલેજના કેટલાક છોકરા-છોકરીઓ મળવાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું : ‘અમને પાપ અને પુણ્યનું જ્ઞાન જ ન હતું. આજે સર્વ પ્રથમ જ પાપનાં નામ સાંભળ્યાં. હવે અમે સાવધાન રહીશું. અનિવાર્ય રૂપે જે પાપ કરવાં પડે તે જ પાપ કરીશું. બીજાં પાપોનો ત્યાગ કરીશું.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org