SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન તમારા વિચાર તો કોઈ જીવ દુઃખી ન થાઓ, સર્વે જીવો સુખી હો, આવા જ જોઈએ. એવી જ ભાવના રાખવાની છે. આનાથી પણ આગળ આ વિચારો ઉન્નત. કોટિના થવા જોઈએ. બીજાને દુઃખી કરીને મારે સુખ ન જોઈએ. હું તો તમામ જીવોને સુખી જોવા ઇચ્છું છું.' માત્ર ભાવનામાં સંતોષ ન માનતાં તમારે એ દિશામાં પ્રયાસ પણ કરવાનો છે. બીજા જીવોનાં દુઃખો બની શકે તેટલાં દૂર કરવાનાં છે અને બને તેટલાં સુખ એમને આપવાનાં છે. આ કાર્ય તો ત્યારે જ બની શકે કે જ્યારે તમારા અંતઃકરણમાં આ પવિત્ર ભાવનાનું ઝરણું વહેતું રહેશે ! સામાન્ય રીતે દુનિયામાં એવું જોવા મળે છે કે કોઈ આપણને દુઃખી કરવા અને આપણાં સુખ ઝૂંટવી લેવા પ્રયત્ન કરે છે, તો આપણે એનો ઘોર તિરસ્કાર કરીએ છીએ અને એને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ. અમે એક નાના ગામમાં ગયા હતા. ત્યાં માત્ર ૧૫-૨૦ જૈન પરિવારો હતા. બે પરિવારમાં પરસ્પર મતભેદ-મનભેદ હતો. એકબીજાની ખરાબી કરતા હતા. અમારી પાસે એ બંને પરિવારો આવતા હતા. એક દિવસે એમાંથી એક ભાઈ મારી પાસે બેઠા હતા અને બીજો આવ્યો. બીજે વધારે ઉગ્ર હતો. પહેલો ઊઠીને ચાલ્યો ગયો. બીજે મારી પાસે બેઠો. મને કહેવા લાગ્યો: “મહારાજ સાહેબ, અત્યારે જે ઊઠીને ગયો તે દેખાવે તો ભગત લાગે છે, પરંતુ છે મહાધૂર્ત ! મારું ચાલે તો એને મારીને નર્કમાં મોકલી દઉં! આમે ય નર્કમાં જવાનો છે. આપ એનાં કરતૂતો જાણતા નથી.” મેં કહ્યું “કદાચ એને નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હશે, તો તે અવશ્ય નરકમાં જશે, પરંતુ તમારા કહેવાથી નહીં જાય. તમે એને મારી નાખવાની ભાવના બતાવી, એથી સંભવ છે કે તમે નરકગતિનું આયુષ્ય બાંધી લીધું હોય, તીવ્ર દ્વેષ ન કરવો જોઈએ. કોઈ જીવને મારવાનો વિચાર ન કરવો જોઈએ.' તેણે મને કહ્યું: ‘મહારાજ સાહેબ, શું કહું? તેણે મને પરેશાન કરવામાં કશું બાકી નથી રાખ્યું, એટલે હું જ્યારે એને જોઉં છું તો મારું લોહી ઊકળી ઊઠે છે.” મેં કહ્યુંઃ “શાન્ત થાઓ, તમારું એણે કશું બગાડ્યું નથી. બગાડનાર તો જીવના પોતાનાં કર્મો હોય છે. એ તો નિમિત્ત માત્ર છે. એના પ્રત્યે દ્વેષ ન કરો. દ્વેષ કરવો હોય તો તમારા કર્મો પ્રત્યે કરો. કર્મોનો ક્ષય કરવાનું વિચારો. કોઈ પણ જીવને દુઃખી કરવાનું ન વિચારો, સુખી કરવાનું વિચારો. જો વિચારવું જ હોય તો !” ખૂબ સમજાવીને એને શાંત કર્યો. અમારી પાસે આવ્યો તો શાંત થયો. જો અમારો અથવા બીજા કોઈ જ્ઞાની સાધુ-સંતનો પરિચય ન થયો હોત તો તેનું શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy