________________
૬૮
ઉપસંહાર :
ગ્રંથકાર આચાર્યદેવે તડુત્તરાય ચિન્તા' એટલું જ સૂત્ર આપ્યું છે. પરંતુ ‘ઉત્તર કાર્યો' કેટલાં બધાં છે ? ખૂબ લાંબી યાદી છે ઉત્તર કાર્યોની ! મેં તો થોડાંક જ કાર્યો બતાવ્યાં છે. સામાજિક વ્યવહારો પણ કેટલા બધા છે ? સંબંધો ટકાવી રાખવાનાં કેટલાં કાર્યો હોય છે ? આ સર્વે કાર્યોની ગૃહસ્થ-શ્રાવકે ચિંતા કરવાની છે, ખ્યાલ રાખવાનો છે. હા, ચિંતાનો અર્થ તમે ટેન્શન' ન કરતા. ચિંતાનો અર્થ છે ધ્યાન આપવું.
શ્રાવકજીવન
જો તમારા પરિવારના લોકો શ્રેષ્ઠ શ્રાવકજીવન જીવનાના ધ્યેયવાળા હશે, તો આ કાર્ય સરળ થઈ જશે. જો તેમનું ધ્યેય ‘શ્રાવકજીવન’ નહીં હોય, તો તમે ગમે તેટલી ચિંતા કરશો, તો પણ પરિવારનો ‘રીસ્પોન્સ' - અનુકૂળ પ્રતિભાવ નહીં મળે તો તમારી ચિંતા ચિંતા જ રહેશે, કાર્યના રૂપમાં પરિણમશે નહીં. છતાં પણ કહું છું કે ચિંતા રાખવી - ધ્યાન આપવું. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org