________________
ભાગ ૩
* માયા-કપટનો કદી આશ્રય ન લો.
બસ, તમારી આબરૂ બંધાશે અને સુરક્ષિત રહેશે. તમારી ધર્મ-આરાધના પણ ઉજ્જ્વળ બનશે. તમને જીવન જીવવામાં આનંદ આવશે.
૬૭
બીજી વાત છે પત્નીના સદાચારની અને છોકરા-છોકરીઓના સારિત્રની. પત્ની સદાચારી હોવી જોઈએ. બાળકો પણ સદાચારી હોવાં જોઈએ. કોઈ કોઈ વાર તેમના દુરાચારોથી બેઇજ્જતી થાય છે. એટલા માટે તમારે પરિવારની આ દૃષ્ટિએ ચિંતા કરવી પડશે. આબરૂ ટકાવી રાખવા તમારો સંકલ્પ હોવો જોઈએ અને તમને જે ઉપાયો બતાવ્યા એનું પાલન કરવું પડશે. દંભ ચાલશે નહીં. દંભ વધારે સમય ટકતો નથી. સદ્ગુણી બનો અને આબરૂ મેળવો.
નિરાશ થવાનું નથી :
આ દિવસોમાં વિલાસિતા અને અહંમન્યતાની પૂર્તિ એ જ મનુષ્યની મહત્ત્વાકાંક્ષા બની ગઈ છે. અને આ હેય પ્રયોજનમાં મોટા ભાગના લોકોને ડૂબેલા જોઈએ છીએ ત્યારે નિરાશા ઘેરી લે છે. આજે ૫૨માર્થના, સાહસના અને ચરિત્રના સ્વામી એવા નેતૃત્વની ખામી દેખાય છે અને એથી નિરાશા વધી જાય છે.
સભામાંથી : સાચી વાત છે, અમે લોકો તો નિરાશ થઈ જ ગયા છીએ.
મહારાજશ્રી : મહાનુભાવ, અંધકાર ગમે તેટલો સઘન હોય, વ્યાપક હોય, એવી ભયપૂર્ણ સ્થિતિ દૂર કરવામાં એક સળગતો દીવો સફળ થાય છે ને ? સળગતો દીવો બીજા બુઝાયેલા દીપકોને પણ ફરી વાર પ્રજ્વલિત ક૨વામાં પણ સાફલ્ય મેળવે છે ને !
ભલે ને દુરાચારી, અપરાધી, નશાબાજો અને દુર્વ્યસની લોકો પોતાની કક્ષાના અનેક બીજા સાથીદારો-સહયોગીઓ એકઠા કરતા હોય, કરવા દો. તમે નિરાશ ન થતા, સળગતા દીપ બનજો. જ્ઞાનનો દીપ તમારી પાસે હશે તો એ દુરાચારીઓ તમારી પાસે નહીં આવે. તેઓ તો તમારાથી દૂર રહેશે. એટલું જ નહીં, જો તેમને સાચો માર્ગદર્શક મળી જશે તો તેઓ સુધરી પણ જશે. તેઓ સદાચારી, સદ્ગુણી અને કર્તવ્યપાલક બની જશે.
ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવનાઓને કલ્પનામાં ભરી લો. પરમાર્થ અને પરોપકારની ભાવનાને મનમાં દૃઢ કરવી પડશે. ૫રમાર્થી, પરોપકારી અને સચ્ચરિત્રી મહાનુભાવોએ એકત્ર થવું પડશે અને દૂષણો સામે ઝઝૂમવું પડશે. કુટિલ અને અનાચારી કર્તૃત્વનો નાશ કરવો પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org