________________
ભાગ ૩ ભાગે થતાં હોય છે. આમાં માતાપિતાની બેજવાબદારી કારણરૂપ હોય છે.
સંતાનોને જન્મ આપ્યો તો તેમના પ્રત્યે જે કંઈ તમારી ફરજ છે તે નભાવવી જોઈએ. જેમ કોઈ કુશળ માળી માલિકના બગીચાને ફાલ્યોફૂલેલો રાખે છે તેમ પરિવારને સુવિકસિત અને સમુચિત બનાવવા માટે તત્પર રહેવું જોઈએ.
વળી, તમારી બીજી પણ ઘણી ફરજો છે. દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે. આ બધાં પ્રત્યે કેટલાંક કર્તવ્યો હોય છે. આવક-જાવકનો વિચાર કરો :
જો તમે તમારાં કર્તવ્યોનું-ફરજોનું પાલન ન કર્યું અને માત્ર સ્વાર્થ સાધવામાં જ જિંદગી પસાર કરી નાખી તો અંતે તમારું જ અંતઃકરણ કહેશે :
માનવ ગૌરવની ફરજો જે રીતે નિભાવવાની હતી તેવી મેં નથી નભાવી. એ અંગે જેટલું ધ્યાન આપવું જોઈતું હતું એટલે મેં ન આપ્યું.” અફસોસ થશે. એવો અફસોસ ન થાય એટલા માટે તમારા કર્તવ્યો પ્રત્યે જાગૃત કરું છું.
ગૃહસ્થજીવનમાં એક મહત્ત્વપૂર્ણ ચિંતા આવક-જાવકની કરવાની હોય છે. તમારે આવકનાં પ્રમાણમાં ખર્ચ કરવું જોઈએ. ખર્ચ કરતી વખતે તમારે તમારી પત્ની, પુત્ર, પુત્રીને તમારી આવકનો ખ્યાલ કરવો જોઈએ. જો તમે માસિક બે હજાર કમાતા હો તો તમારા ઘરનું ખર્ચ માસિક બે હજારથી વધારે ન થવું જોઈએ. તમારી આવક મહિને પાંચ હજાર છે તો ખર્ચ પણ પાંચ હજારથી વધારે ન થવું જોઈએ.
કેટલાક પૈસા તમારે બચાવીને રાખવા પણ જોઈએ. બીમારી, લગ્ન અને અન્ય વિશેષ પ્રસંગોમાં જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે કોઈની પાસેથી વ્યાજથી ન લેવા પડે. કોઈની પાસેથી ઉછીના ન લેવા પડે એ વિચારવું જોઈએ. જો તમારી પાસે રૂપિયાની બચત હશે તો તમે તમારા મિત્રોને કોઈ વાર સહાય પણ કરી શકો. જેટલું કમાઓ તેટલું ખર્ચી ન નાખો. કેટલાક પૈસા તો બચાવવાનો ખ્યાલ રાખો જ. - જો આવક કરતાં જાવક વધારે રાખશો તો તમે બુદ્ધિમાન નહીં ગણાઓ. કારણ કે એવા માણસો દેવાદાર બને છે. દેવું કરવું એ એક અનર્થ છે, મોટી ભૂલ છે. ઓછું ખાવું, ઓછાં કપડાં રાખવાં, મોજમજા ન કરવી, પરંતુ દેવું તો કરવું જ નહીં જો તમે સાવધાનીપૂર્વક જીવશો તો દેવું કરવાનો પ્રસંગ આવશે જ નહીં
સભામાંથી કોઈક વાર બચત ઓછી હોય છે અને મોટું ખર્ચ આવી પડે છે ત્યારે દેવું કર્યા સિવાય બીજો ઉપાય જ રહેતો નથી. જેમ કે દયરોગ-કીડની વગેરેની બીમારીમાં પુષ્કળ ખર્ચ થઈ જાય છે.
Jain
ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org