________________
sr
શ્રાવકજીવન બીમારની બાહ્ય સેવાની સાથે સાથે તેનાં મનની સમતા-સમાધિ ટકી રહે તેવા ઉપાયો કરવા જોઈએ.
સભામાંથી અમે શું સમતા-સમાધિ આપી શકીએ? અમે દુકાને જઈએ છીએ અને શ્રીમતીજી મંડળમાં જાય છે ! નોકર બહાર બેસીને ગપ્પાં મારે છે !
મહારાજશ્રીઃ તમે જાતે બીમાર પડો છો ને? ત્યારે તમારી મનઃસ્થિતિ કેવી રહે છે? જો તમે બીજાંની સેવા કરશો તો બીજાં તમારી સેવા કરશે. તમે બીજાંને સમતા-સમાધિ આપશો, તો તમને કોઈ સમતા-સમાધિ આપનાર મળશે! છોકરા-છોકરીઓના લગ્ન :
છોકરા-છોકરીઓના લગ્નસંબંધમાં પણ તમારી ફરજ છે. જે પુરુષ એ ફરજ નથી સમજતો તેને પત્ની વગેરેનો ઠપકો સાંભળવો પડે છે. પછી ઝઘડા થાય છે.
‘તમે છોકરા માટે કશું વિચારતા નથી. છોકરો હવે મોટો થઈ ગયો છે. ‘તમે છોકરી માટે કંઈ વિચારતા નથી, છોકરી ઉંમરલાયક થઈ ગઈ છે. પછી છોકરી કોઈક ખોટું પગલું ભરી બેસશે, એ વખતે મારી ઉપર આરોપ ન મૂકતા. મોટી છોકરીને ઘરમાં રાખવી સહેલી વાત નથી. એની રક્ષા કરવી સરળ નથી...' વગેરે સાંભળવું પડે છે ને?
સભામાંથી આટલું જ નહીં, ઘણાં કઠોર વાક્યો સાંભળવાં પડે છે.
મહારાજશ્રી ઃ જો તમે પોતપોતાની જવાબદારી અંગે સભાન રહેશો તો આવાં કઠોર વાક્યો સાંભળવાં નહીં પડે અને તમને સંતાનોનો પ્રેમ પણ મળશે. અમારા પિતાજી અમારી કેટલી ચિંતા કરે છે ? અમારા માટે કેટલો પ્રયત્ન કરે છે ?'
જો કે આ વાત પૂર્ણતયા ભાગ્યાધીન હોય છે. પોતપોતાના કર્મ અનુસાર પતિ મળે છે, પત્ની મળે છે. પરંતુ સંતાનોની અને પરિવારની અપેક્ષા રહે છે કે તમે પ્રયત્ન કરો, પૂષાર્થ કરો. લગ્ન કરતી વખતે ઘણી વાતો જોવી પડે છે. માત્ર રૂપ અને રૂપિયા જોઈને લગ્ન ન કરવાં જોઈએ. શિક્ષણ, સ્વભાવ, ગુણ પણ જોવા જોઈએ.
કેટલાંક વર્ષોથી આંતરજાતીય લગ્નો પણ થવા લાગ્યાં છે. હિન્દુ છોકરાઓ મુસલમાન બનીને મુસલમાન છોકરી સાથે પણ લગ્ન કરી લે છે ! હિન્દુ છોકરીઓ મુસલમાન બની જઈને મુસલમાન છોકરાઓ સાથે લગ્ન કરે છે! મોટે ભાગે આવા લગ્નો લાંબો સમય ટકતાં નથી. મોટા ભાગના પતિપત્ની પાછળથી છૂટાં થઈ જાય છે. અથવા અંદર અંદર તેમને બનતું નથી, ઝઘડા થતા રહે છે અને જીવન ક્લેશમય-અશાંત બની જાય છે. આવા લગ્નો માતાપિતાની સંમતિ વગર જ મોટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org