________________
ભાગ ૩
၄3 દહીં-છાસ ખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગરમ કર્યા સિવાય દહીં-છાસની સાથે દ્વિદળ-કઠોળ નહીં ખાવાં જોઈએ. એ રીતે વાસી રોટલી, વાસી શાકભાજી વગેરે વાસી ભોજન થવા લાગ્યાં છે, જે ન થવાં જોઈએ.
બજારમાં, હોટલમાં જઈને ભોજન કરવાની તો ફેશન થઈ ગઈ છે. ત્યાં ટેસ્ટી ભોજન મળે છે ને ? પરંતુ સ્વાથ્ય માટે એ ભોજન હાનિકારક હોય છે, એ વાત તમે ભૂલી ગયા છો. અનિવાર્ય સંજોગોને છોડીને તમારે હોટલનું ભોજન છોડી દેવું જોઈએ. આ વાત માનશો? પરિવારના સ્વાથ્યની ચિંતા કરો :
જે રીતે ભોજનની ચિંતા કરવાની છે તે જ રીતે પરિવારના સ્વાથ્યની પણ ચિંતા કરવાની છે. ઘરમાં માતાપિતા, પુત્ર, પત્ની... કોઈ બીમાર પડી ગયું હોય તો :
૧. તેમની પાસે શાન્તિથી બેસીને સહાનુભૂતિ બતાવીને તેમની સુખશાતા પૂછો. હવે તને કેમ છે? ચિંતા ન કરવી, જલદી સારું થઈ જશે...' વગેરે આશ્વાસન આપવું જોઈએ.
૨. ડૉક્ટરને ઘેર બોલાવવો જરૂર હોય તો આળસ કે મોડું કર્યા સિવાય ડૉક્ટર બોલાવી લેવો જોઈએ. ડૉકટરના કહ્યા પ્રમાણે દવા આપવી જોઈએ.
૩. દરદીને સમયસર દવા અપાય છે કે નહીં તેની તમારે જાણકારી મેળવવી જોઈએ.
૪. જ્યારે ઘરમાં સ્વજન બીમાર હોય ત્યારે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. દુકાને યા ઓફિસે જવાની ઉતાવળ ન કરવી જોઈએ. બીજાં કામોને ગૌણ કરવાં જોઈએ.
મારી પાસે આવેલી વાત છે એક પરિવારની. ઘરમાં પત્ની બીમાર હતી અને પતિએ ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું ! પાર્ટી જે ખંડમાં ચાલતી હતી તેની બાજુના રૂમમાં જ પત્ની સૂતી હતી. પાર્ટીમાં જોરજોરથી હસવું, મજાક કરવી અને ભોજન વગેરે ચાલી રહ્યું હતું. પત્ની પાસે કોઈ પણ ન હતું. તેનું મન ખિન્ન થઈ ગયું. આ ઘટના પછી પતિપત્નીના સંબંધમાં મોટી ખાઈ પડી ગઈ. જીવન અશાંત થઈ
ગયું.
સભામાંથી આવું તો શ્રીમંતઘરોમાં થતું જ રહે છે. મહારાજશ્રી એટલા માટે તો કહું છું કે એવું થવું ન જોઈએ. પત્ની બીમાર હોય યા માતા બીમાર હોય યા બહેન હોય, પુત્ર-પુત્રી હોય, તેમના મનને ઉદ્વિગ્નઅશાન્ત કરનારી વાત ન થવી જોઈએ. એવા પ્રસંગો જ ઊભા ન કરવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org