SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શ્રાવકજીવન બજાવવાનું છે. જો માતાને ધાર્મિક જ્ઞાન ન હોય અને પિતાને હોય તો પિતા સમય કાઢીને બાળકોને ધાર્મિક જ્ઞાન આપી શકે છે. ગમે તેમ કરો પરંતુ બાળકોને ધાર્મિક જ્ઞાન મળવું જોઈએ. આ ચિંતા તમારે કરવી જ જોઈએ. તમારી ફરજ છે. એ ફરજ નભાવવી પડશે. મનુષ્યના શરીરમાં જેટલું મહત્ત્વ મસ્તકનું છે એનાથી વધારે મહત્ત્વ મનુષ્યના જીવનમાં શિક્ષણનું છે. બંને પ્રકારનું શિક્ષણ સંતાનોને સારી રીતે મળવું જોઈએ. હવે બીજી ફરજ બતાવું છું. પરિવારને સાત્ત્વિક ભોજન મળવું જોઈએ ? જો તમારે પરિવાર હોય અને તમે પરિવારના મુખ્ય માણસ છો, તો તમારી ફરજ છે કે પરિવારને સાત્ત્વિક ભોજન મળવું જોઈએ. - ભોજન અભક્ષ્ય ન હોવું જોઈએ. – રાત્રિભોજન ન હોવું જોઈએ. - ઘરમાં વૃદ્ધ માતાપિતા છે તો તેમને માટે ઉચિત ભોજન બનવું જોઈએ. - ઘરમાં નાનાં બાળકો હોય તો તેમને પ્રિય, સાત્ત્વિક ભોજન મળવું જોઈએ. - ઘેર પધારેલા અતિથિઓને ભોજન મળવું જોઈએ. તમારે પણ ભોજન અંગે ધ્યાન આપવું જોઈએ. ઘરની સ્ત્રી ભોજન માટે જે સામગ્રી તમારી પાસે મંગાવે, તે તમારે લાવીને-મંગાવીને આપવી જોઈએ. એક ધાર્મિક પરિવારમાં એટલા માટે ઝઘડો થયા કરતો હતો કે પતિ પત્નીને ભોજનસામગ્રી મંગાવી-લાવી આપતા ન હતા. હું આજે ભૂલી ગયો.... કાલે લાવી આપીશ.” “આજે બજાર ગયો હતો, પરંતુ વસ્તુ જેવી જોઈએ તેવી ન મળી. એકબે દિવસમાં નવી સામગ્રી આવવાની છે, એ લાવી આપીશ.” “આજે ગજવામાં પૈસા જ ન હતા.' આમ રોજ-રોજના બહાનાથી પત્ની હેરાન થઈ જતી હતી, તે આક્રોશ કરતી હતી. પતિ પણ પત્ની સામે આક્રોશ કરતો હતો. આમ ઝઘડો થતો હતો. કોઈ વાર ઘરમાં ઘી ન હોય, કોઈ વાર તેલ ન હોય, તો કોઈ વાર લોટ ન હોય! પુરુષ પોતાની જવાબદારી જ સમજતો ન હતો. ભોજન તો ઘરનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. સમાજમાં ઇજ્જત પણ ભોજનના આધારે જ બંધાય છે. તમારા ઘરમાં આવેલા અતિથિને, મહેમાનને તમે કેવું ભોજન આપો છો, એના ઉપર તમારાં ઘરની નિંદા યા પ્રશંસા થાય છે. મહત્ત્વપૂર્ણ વાત આજના યુગમાં અભક્ષ્ય ભોજનની છે. મોટા ભાગનાં ઘરોમાં - જૈનપરિવારોમાં કંદમૂળનો પ્રવેશ થઈ ગયો છે. જે થવો ન જોઈએ. દ્વિદળની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy